Jaysukh patel News

દુર્ઘટનાના 15 મિનિટ પહેલા પરિવાર પુલ પર હતો, દીકરો ડરી જતા બહાર આવ્યા ને પુલ તૂટ્યો
કેતન બગડા/અમરેલી :મોરબીની ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં રાજુલાનો મહેતા પરિવાર ભોગ બની ગયું હોત. પરંતુ મહેતા  પરિવાર બચ્યો છે તો માત્રે તેમના 9 વર્ષના પૂત્રના ડરના કારણે. આ દુર્ઘટના સર્જાઈ તેની 15 મિનિટ પહેલાં જ રાજુલાનો મહેતા પરિવાર ઝૂલતા પર હતો. મહેતા પરિવાર મોરબીમાં તેમના સંબંધીઓના ઘરે ગયો હતો. ત્યારે રવિવારની રજાની મજા  માણવા માટે તેઓ ઝૂલતા પુલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યારે દુર્ઘટનાની 15 મિનિટ પહેલાં જ ભાનુભાઈ મહેતા, સાગરભાઈ મહેતા, ખેવના, નેત્ર સહિત આખો પરિવાર ઝૂલતા પુલ પર હતો. સેલ્ફી લઈને આનંદ માણતો હતો. પરંતુ થોડે આગળ જતા મહેતા પરિવારનો 9 વર્ષનો દીકરો નેત્ર ડરી ગયો હતો. બાળક રડવા લાગતા પરિવાર ઝૂલતા પુલ પરથી બહાર આવ્યો હતો. ત્યાંથી નીકળ્યાની 15 મિનિટ બાદ જ આ ગોઝારી ઘટના બની હતી. હાલ મહેતા પરિવાર પોતાના વતન રાજુલા પહોંચી ભગવાનનો આભાર માની રહ્યા છે કે તેઓ બચી ગયા. સાથે સેંકલો લોકોના મોત થયા છે તે અંગે દુખ વ્યક્ત કરી તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.
Nov 1,2022, 21:01 PM IST

Trending news