દુર્ઘટનાના 15 મિનિટ પહેલા પરિવાર પુલ પર હતો, દીકરો ડરી જતા બહાર આવ્યા ને પુલ તૂટ્યો, જીવ બચ્યો

કેતન બગડા/અમરેલી :મોરબીની ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં રાજુલાનો મહેતા પરિવાર ભોગ બની ગયું હોત. પરંતુ મહેતા  પરિવાર બચ્યો છે તો માત્રે તેમના 9 વર્ષના પૂત્રના ડરના કારણે. આ દુર્ઘટના સર્જાઈ તેની 15 મિનિટ પહેલાં જ રાજુલાનો મહેતા પરિવાર ઝૂલતા પર હતો. મહેતા પરિવાર મોરબીમાં તેમના સંબંધીઓના ઘરે ગયો હતો. ત્યારે રવિવારની રજાની મજા  માણવા માટે તેઓ ઝૂલતા પુલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યારે દુર્ઘટનાની 15 મિનિટ પહેલાં જ ભાનુભાઈ મહેતા, સાગરભાઈ મહેતા, ખેવના, નેત્ર સહિત આખો પરિવાર ઝૂલતા પુલ પર હતો. સેલ્ફી લઈને આનંદ માણતો હતો. પરંતુ થોડે આગળ જતા મહેતા પરિવારનો 9 વર્ષનો દીકરો નેત્ર ડરી ગયો હતો. બાળક રડવા લાગતા પરિવાર ઝૂલતા પુલ પરથી બહાર આવ્યો હતો. ત્યાંથી નીકળ્યાની 15 મિનિટ બાદ જ આ ગોઝારી ઘટના બની હતી. હાલ મહેતા પરિવાર પોતાના વતન રાજુલા પહોંચી ભગવાનનો આભાર માની રહ્યા છે કે તેઓ બચી ગયા. સાથે સેંકલો લોકોના મોત થયા છે તે અંગે દુખ વ્યક્ત કરી તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.

1/5
image

મોરબીની ઘટનામાં ઝૂલતો પુલ પડી જવાના મામલે સેંકડો લોકોના મોત થયા તે પુલ તૂટ્યાના 15 મિનિટ પહેલા રાજુલાનો પરિવાર પુલ ઉપર હતો પુત્ર 9 વર્ષનો નેત્ર ડરી જવાના કારણે રડી પડતા આ પરિવાર બહાર આવ્યો જેના કારણે આજે આ પરિવાર રાજુલા તેમના ઘરે સલામત છે.

2/5
image

મોરબીની ઝૂલતા પુલની ઘટના ગોઝારી બની ગઈ છે જ્યારે આ ઘટના બની તે 15 મીનીટ પહેલા અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેરમાં આવેલ દુર્લભ નગર વિસ્તારનો પરિવાર મોરબી તેમના સબંધીનાં ઘરે ગયા હતા અને રવિવારના ઝૂલતા પુલ ઉપર પોહચીયા જેમા ભાનુભાઈ મહેતા, સાગરભાઈ મહેતા, ખેવના, નેત્ર આ આખો પરિવાર ત્યાં ઝૂલતા પુલ ઉપર ગયા હતા. જોકે માસૂમ 9 વર્ષીય નેત્ર આ પુલ એટલો હલતો હતો, જેના કારણે ડરી ગયો અને આક્રમણ રીતે રડવા લાગ્યો જેના કારણે આ પરિવાર બહાર આવ્યો અને કાર લઈ થોડે દુર બ્રિજ ઉપર પોહચતા 15 મિનિટ જેટલા સમયમાં આ પુલ તૂટ્યો અને ચીચીયારી વચ્ચે લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

3/5
image

આ પરિવારે આ પુલ પરિવાર સાથે સેલ્ફી પણ લીધી હતી. જે આ પરિવાર માટે કાળમુખી મચ્છુ નદીની સેલ્ફી જિંદગીભર યાદ રહેશે. જોકે આ પરિવાર બહાર આવ્યા બાદ સેલ્ફી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી હતી અને સ્ટેટસ પણ રાખ્યુ હતું. જેના કારણે લોકો અને સગા સંબંધી આ પરિવારની ચિંતામાં મૂકાયા હતા. જોકે આ પરિવાર આ દુર્ઘટના બને તે પહેલાં બહાર નીકળી ગયો હતો. જ્યારે હાલ આ પરિવારને નેત્રના કારણે બહાર આવ્યો અને બચી ગયો જેના કારણે આજે રાજુલા તેમના ઘરે પહોંચતા હાશકારો અનુભવ્યો છે.

4/5
image

સમગ્ર ઘટના બાદ આ પરિવાર હજુ પણ સ્તબ્ધ છે. કેમ કે જ્યાં સેંકડો લોકોના મોત થયા એ જગ્યા ઉપર સેલ્ફી ફોટો પાડ્યો અને આગળ જતાં હતાં પરંતુ માસૂમ ઉપર કુદરતની કૃપા માનો કે જે માનો તે આખા પરિવારને આ માસૂમ નેત્રએ રડી રડી બહાર લાવ્યો અને બચી ગયા અને આ ઝૂલતો પુલ પછી તૂટી પડ્યો. જોકે આ પરિવાર મોરબીના નામથી આજે પણ રાજુલા પહોંચી ડરી રહ્યા છે. કેમ કે બહાર નીકળ્યા બાદ જે રીતે લોકોના સતત મોતના સમાચાર સાંભળી સતત ચિંતિત છે. પરંતુ હાલ તો આ પરિવારની ખબર અંતર પૂછવા આસપાસના લોકો આવી રહ્યા છે. પરંતુ આ પરિવાર એક જ કહે છે આ નેત્રના કારણે બધા લોકો પરત આવ્યા છીએ.  

5/5
image