ગજકેસરી યોગથી બદલાશે આ જાતકોનું ભાગ્ય, 7થી 9 ઓગસ્ટ સુધી આ પાંચ રાશિના લોકો મનાવશે જશ્ન

Gajkesari Yog: જ્યોતિષ ગણનાઓ અનુસાર 7થી 9 ઓગસ્ટ સુધી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. દેવગુરૂ બૃહસ્પતિ અને ચંદ્રમાની યુતિ બનવા પર ગજકેસરી યોગનું નિર્માણ થાય છે. 

ગજકેસરી યોગથી બદલાશે આ જાતકોનું ભાગ્ય, 7થી 9 ઓગસ્ટ સુધી આ પાંચ રાશિના લોકો મનાવશે જશ્ન

નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને ખુબ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર 7થી 9 ઓગસ્ટ સુધી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. દેવગુરૂ બૃહસ્પતિ અને ચંદ્રમાની યુતિ બનવા પર ગજકેસરી યોગનું નિર્માણ થાય છે. આ સમયે ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન છે. 7 ઓગસ્ટે ચંદ્રમા પણ મેષ રાશિમાં આવી જશે અને 9 ઓગસ્ટ સુધી મેષમાં રહેશે. આવો જાણીએ ગજકેસરી યોગથી ક્યા જાતકોનો ભાગ્યોદય થવાનો છે. 

મેષ રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે.
કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
સંતાન સુખમાં વધારો થશે.
ઉચ્ચ શિક્ષણ તથા રિસર્ચ વગેરે કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે. 
નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે.
સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે.
આત્મવિશ્વાસ વધશે.
માતા તથા પરિવારના કોઈ વૃદ્ધ મહિલાથી ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ બનશે. 

મિથુન રાશિ
ભવન સુખનો વિસ્તાર થશે.
માતા-પિતાનો સહયોગ મળશે.
ધન સંગ્રહમાં ઘટાડો થઈ શકે છે.
અભ્યાસમાં રૂચિ રહેશે.
શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે.
સંતાન સુખમાં વધારો થશે.
નોકરીમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે.
ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે, કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. 

કન્યા રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે.
માતા પાસેથી ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.
દાંમ્પત્ય સુખમાં વધારો થશે.
કોઈ મિત્રના સહયોગથી નોકરીની તક મળી શકે છે.
આવકમાં વધારો થશે, પરંતુ બીજા સ્થાને જવું પડી શકે છે.
પારિવારિક જવાબદારી વધી શકે છે, પરિવારમાં માન-સન્માન વધશે.
નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. 

વૃશ્ચિક રાશિ
મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે.
શૈક્ષણિક કાર્યમાં સુખદ પરિણામ મળશે, રિસર્ચ વગેરે કાર્યો માટે બીજા સ્થાને જવું પડી શકે છે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.
નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલશે.
આવકમાં વધારો થશે.
મિત્રોનો સહયોગ મળશે.

ધન રાશિ
સંપત્તિથી આવકમાં વધારો થશે.
માતા પાસેથી ધનની પ્રાપ્તી થઈ શકે છે.
નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહી છે, સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધુ રહેશે, આવકમાં વધારો થશે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે.
નોકરીમાં પ્રગતિની સંભાવના છે. અધિકારીઓનો સહયોગ મળશે.
આવકમાં વધારો થશે, વાહન સુખનો વિસ્તાર સંભવ છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news