Rashifal News

300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર દુર્ભલ સંયોગ, આ 5 રાશિઓ પર શિવજી રહેશે મહેરબાન, થશે લાભ
Mahashivratri 2024: હિંદુ ધર્મમાં દર વર્ષે ફાગણ મહિનાની કૃષણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર આ દિવસે ભગવાન શિવના માતા પાર્વતી સાથે લગ્ન થયા હતા. પંચાગ અનુસાર આ વર્ષે 8 માર્ચ 2024 ના રોજ એકદમ શુભ સંયોગમાં મહાશિવ રાત્રિ ઉજવવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રિના દિવસે શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. સાથે જ આ દિવસે ગ્રહોની યુતિ પણ એકદમ ખાસ માનવામાં આવે છે. 8 માર્ચના રોજ કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર સાથે મળીને ત્રિગ્રહી યોગ બનશે. મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કરશે અને મંગળ ગ્રહ મકર રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષ ગણનાઓના અનુસાર એવો અદભૂત સંયોગ લગભગ 300 વર્ષ બાદ બનવા જઇ રહ્યો છે. જેથી મહાશિવરાત્રિનો દિવસ કેટલી રાશિઓ માટે એકદમ શુભ સાબિત થશે. 
Mar 3,2024, 10:30 AM IST

Trending news