મહિલાઓ સાથે સંબંધ, સિગરેટ-દારૂની લતમાં જ ડૂબેલો હતો આ અભિનેતા, જાણો કેવી રીતે મેળવ્યો છૂટકારો

સંજય લીલા ભણસાલીની હીરામંડીથી ધૂમ મચાવનારા અભિનેતા જેસન શાહે હાલમાં જ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેતાનું કહેવું છે કે તેને દારૂ અને ધુમ્રપાનની લત હતી, પરંતુ સેક્સની લત ખુબ વધુ હતી.

મહિલાઓ સાથે સંબંધ, સિગરેટ-દારૂની લતમાં જ ડૂબેલો હતો આ અભિનેતા, જાણો કેવી રીતે મેળવ્યો છૂટકારો

સંજય લીલા ભણસાલીની હીરામંડીથી ધૂમ મચાવનારા અભિનેતા જેસન શાહે હાલમાં જ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેતાનું કહેવું છે કે તેને દારૂ અને ધુમ્રપાનની લત હતી, પરંતુ સેક્સની લત ખુબ વધુ હતી. થોડા વર્ષો પહેલા તેને આ લતનો અહેસાસ થયો અને પછી ધાર્મિક થયા બાદ તેણે છોડી દીધુ. યુટ્યુબ ચેનલ Shaardulogy સાથે વાતચીતમાં અભિનેતાએ આ ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે મને આલ્કોહોલની લત હતી. હું આખી દિવસમાં બેથી અઢી પેકેટ સિગારેટ પૂરી કરી નાખતો હતો. મહિલાઓ સાથે સંબંધ બનાવવાની મને લત હતી. 

સેક્સની લત હતી
જેસન શાહે કહ્યું કે 'તે એક સેક્સની લત હતી, જે મારા માટે ખુબ મુશ્કેલભરી હતી. મારા માટે આ લતને છોડવી એ સૌથી મોટી વાત હતી.' જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તેમની આ લત આખરે કેવી રીતે છૂટી તો તેમણે જવાબ આપ્યો કે ભગવાન ખુબ સારા છે અને તેમની કૃપા મારા માટે પૂરતી છે કે તેમનો પ્રેમ દરેક ચીજ પર હાવી થઈ ગયો. અભિનેતાએ કહ્યું કે આ લતથી બહાર નીકળવું એ મારા માટે બિલકુલ સરળ નહતું. કારણ કે તમે તેના વિશે કોઈની સાથે શેર પણ કરી શકો નહીં. 

અભિનેતાએ કહ્યું કે, 'આ સરળ નથી, મુશ્કેલ છે કારણ કે તેના માટે તમારે જવાબ આપવો પડે છે. એવું લાગે કે સારું ફીલ થાય છે તો કરી લો, પરંતુ મને અહેસાસ થયો કે તમે કોઈને આપી શકો તેમાં આ સૌથી ખરાબ સલાહ છે. હું મારી લાઈફની વાત કરું તો કહીશ કે મારા સૌથી ખરાબ નિર્ણય ત્યારે લેવાયા જ્યારે મને સારું મહેસૂસ થયું. હવે હું એ  કહેવા માંગુ છું કે જો તમને સારું ફીલ થઈ રહ્યું છે તો પછી તેના વિશે જરૂર વિચારો.'

લતનો અહેસાસ ક્યારે થયો?
જેસનને ક્યારે અહેસાસ થયો કે તેને સેક્સની લત લાગી ચૂકી છે, તેના પર અભિનેતાએ કહ્યું કે, 2021ના નવા વર્ષની પૂર્વ સંધ્યા પર. હું મારા મિત્રના ઘરે હતો અને હંમેશાની જેમ છોકરીની જતા જોઈ. મને તેને હર્ટ કરવાનું ઘણું ખરાબ લાગ્યું. મે તે સમયે ખુબ ખરાબ અને અપરાધબોધ જેવું મહેસૂસ કર્યું. ત્યારબાદ જ મારી ધાર્મિક યાત્રાની શરૂઆત થઈ. મને મહેસૂસ થયું કે લાઈફમાં બીજી પણ ઘણી વસ્તુઓ છે અને આ રીતે ફેરફાર આવ્યો. આ સાથે જ અભિનેતાએ પોતાની વર્તમાન રિલેશનશીપ ઉપર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે બંનેએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેઓ લગ્ન ન કરી લે ત્યાં સુધી તેઓ ઈન્ટીમેટ થશે નહીં. 

હવે બનાવ્યો આ નિયમ
અભિનેતાએ કહ્યું કે, હવે લગ્ન પહેલા સેક્સ કે તે પ્રકારની ચીજો થશે નહીં. આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી કરીને તે ઈમોશનલી સામેલ થઈ શકે નહીં. જ્યારે પણ તમે કોઈ પણ છોકરી સાથે સેક્સ્યુઅલ રિલેશન બનાવો છો ત્યારે તમે બંને ઈમોશનલ રીતે સામેલ થઈ જાઓ છો અને ત્યારબાદ લોજિકનો કોઈ અર્થ રહેતો નથી. તમારી આ સંપૂર્ણ રિલેશનશીપ ઈમોશન્સ પર જ આધારિત થઈ જાય છે અને જેવું મે કહ્યું છે તેમ ઈમોશન ખુબ ખતરનાક હોય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news