PM મોદીની જાહેરાત, PM SHRI યોજના અંતગર્ત 14,500 સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ

PM-SHRI Yojana:  #TeachersDay પર, મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે - પ્રધાનમંત્રી શાળાઓ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ ભારતભરની 14,500 શાળાઓનો વિકાસ અને અપગ્રેડેશન. આ મોડેલ શાળાઓ બનશે, જે NEPની એકંદર ભાવનાનો સમાવેશ કરશે.

PM મોદીની જાહેરાત, PM SHRI યોજના અંતગર્ત 14,500 સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ

PM-SHRI Yojana: આજે, શિક્ષક દિવસના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ દેશભરમાં 14,500 શાળાઓના વિકાસ અને અપગ્રેડેશનની જાહેરાત કરી છે. PM એ શાળાઓમાં શિક્ષણ આપવાની આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી રીત હશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે NEPની ભાવના અનુસાર, PM-શ્રી સ્કૂલ સમગ્ર ભારતમાં લાખો વિદ્યાર્થીઓને લાભ આપશે.

પીએમ મોદીએ કહ્યું કે પીએમ-શ્રી સ્કૂલોમાં શિક્ષણ પુરૂ પાડવાની એક આધુનિક, પરિવર્તનકારી અને સમગ્ર રીત હશે. નવીન ટેક્નોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમત ગમત અને અન્ય સહિત આધુનિક ઇંફ્રા પર પણ ધ્યાન આપવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાખ્યું છે. મને વિશ્વાસ છે કે પીએમ-શ્રી સ્કૂલ એનઇપીની ભાવના સાથે ભારતમાં લાખો વિદ્યાર્થીઓને લાભન્વિત કરશે. 

પ્રધાનમંત્રી ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા
"આજે, #TeachersDay પર, મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે - પ્રધાનમંત્રી શાળાઓ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ ભારતભરની 14,500 શાળાઓનો વિકાસ અને અપગ્રેડેશન. આ મોડેલ શાળાઓ બનશે, જે NEPની એકંદર ભાવનાનો સમાવેશ કરશે.

— Narendra Modi (@narendramodi) September 5, 2022

"PM એ શાળાઓમાં શિક્ષણ આપવાનો એક આધુનિક, પરિવર્તનશીલ અને સર્વગ્રાહી માર્ગ હશે. તેમાં શોધ લક્ષી, જ્ઞાન આધારિત શિક્ષણ લક્ષી શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડો, રમતગમત પર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે."

"શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનો કર્યા છે. મને ખાતરી છે કે NEPની ભાવનાને અનુરૂપ, PM-SHRI School ભારતભરના લાખો વિદ્યાર્થીઓને લાભ કરશે."

પીએમ મોદીએ આગળ કહ્યું કે યુવા દિગામને આકાર આપવા માટે આપણે શિક્ષકોના આભારી છીએ. આપણા શિક્ષકોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. પીએમએ આ પહેલાં ટ્વીટ કરીને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ''શિક્ષક દિવસની શુભેચ્છા, ખાસકરીને તે તમામ મહેનતી શિક્ષકોને, જે યુવા મનમાં શિક્ષણની ખુશી ફેલાવે છે. હું દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એસ રાધાકૃષ્ણન (Sarvepalli Radhakrishnan) ને પણ તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news