સુરેન્દ્રનગરના ફુલગામમાં સામાન્ય બાબતમાં ત્રણ લોકોની હત્યા, આરોપી ફરાર

સુરેન્દ્રનગરના ફુલગામમાં ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. અહીં પિતા, પુત્ર અને પુત્રવધુની ઘરમાં ઘુસીને ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. 

સુરેન્દ્રનગરના ફુલગામમાં સામાન્ય બાબતમાં ત્રણ લોકોની હત્યા, આરોપી ફરાર

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ફુલગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફુલગામમાં એક સાથે ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. પિતા, પુત્ર અને પુત્રવધુની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી છે. રસ્તે ચાલલા બાબતે માથાકુટ થયાં બાદ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હત્યા કરનાર આરોપી ધારદાર હથિયાર સાથે ઘરમાં પહોંચ્યો અને ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 

પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગરના ફુલગામમાં સામાન્ય બબાલ થયાં બાદ એક વ્યક્તિએ ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. હત્યારો ઘરમાં હથિયાર સાથે પહોંચ્યો અને પિતા, પુત્ર અને પુત્રવધુની હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ગામમાં પહોંચ્યો હતો. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે હત્યા કરનાર આરોપી ફરાર થઈ ગયો છે. હાલ તો પોલીસે હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. જ્યારે નાના એવા ગામમાં ત્રણ લોકોની હત્યા થચાં ચકચાર મચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news