News headlines News

કોઇ પાર્ટીની ઓકાત નથી કે અનામતને સમાપ્ત કરી શકે: નીતીશ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બક્સર લોકસભા વિસ્તારમાં ધનસોઇમાં એક ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે, વિપક્ષી દળ અનામત મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યા છે પરંતુ કોઇ પણ રાજનીતિક દળમાં એટલી ઓકાત નથી કે તેઓ સંવિધાન અનુસાર મળેલા અનામતને સમાપ્ત કરી દે. નીતીશ કુમારે શુક્રવારે એનડીએ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેનાં પક્ષમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, અમારા રહેતા દલિત, મહાદલિત, લઘુમતી, અતિપછાત, અનુસૂચિત જાતી અને અનુસુચિત જનજાતીનાં અનામતને સમાપ્ત કરવાની કોઇ પણ રાજનીતિક દળમાં ઓકાત નથી. જો કે તેમણે કહ્યું કે, આજે મત માટે વિપક્ષી દળો આ અંગે અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. 
May 10,2019, 23:37 PM IST

Trending news