Corona india 0 News

‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી
‘બસ આ હોમ ક્વૉરન્ટાઇનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી હોસ્પિટલે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જવું છે, એ પણ બમણા જોશથી...’  કામ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારીથી ભારોભાર છલકાતા આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ. નિધિ છૈંયાના. મૂળ ઉપલેટાનાં ડૉ. નિધિ સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, આઇસોલેશન વૉર્ડમાં ડ્યુટી વખતે અન્ય ચાર આરોગ્યકર્મીઓની સાથે ડૉ. નિધિનો COVID-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હાલ તેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
May 30,2020, 15:07 PM IST
અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
May 30,2020, 14:27 PM IST
નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, ગુજરાતમાં 5000થી વધુ ટેસ્ટ થાય છે, તમારા ટેકાથી મહારાષ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવા આવેલી સુઓમોટો અરજીનો મામલામાં હાઇકોર્ટે અદ્યતન હોસ્પિટલને  કેમ કોરોના સારવારમાં લેવાઈ નથી તે મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, હાઈકોર્ટે જે અવલોકન અને ઓર્ડર કર્યા છે તે અંગે રાજ્યના એડવોકેટ જનરલ સાથે ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ અને cmoના સિનિયર અધિકારીઓએ ચર્ચા કરી છે. તમામે હાઈકોર્ટના અવલોકન મામલે અભ્યાસ કર્યો. સરકાર આગામી અઠવાડિયે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. કેટલાક દૈનિક પત્રોમાં મારા નામ સાથે ઘણી ટિપ્પણી કરવામાં આવી છે. કોર્ટ માં જે બાબત વિચારાધીન હોય, એ મામલે મારે કઈ કહેવાનું રહેતું નથી. કેસની મુદત દરમ્યાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવશે. મધ્યમોમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો એ બાબતે મારી વાત કરું છું. 
May 25,2020, 11:02 AM IST
લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ
આજથી રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana)ના ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. જોકે, કોઈ પણ પ્લાનિંગ અને સૂચના વગર આ જાહેરાત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. લગભગ દરેક શહેરોમાં ફોર્મ મેળવવા બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. ત્યારે રાજકોટમાં સવારે 1 લાખ રૂપિયાની લોન લેવા લોકોએ જિંદગી દાવ પર મૂકી તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા લોકોએ બેંક બહાર લાંબી લાઇનો લગાવી છે. પરંતુ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. બેંક ખૂલે એ પહેલા લગભગ 700થી 800 લોકોનું ટોળુ બેંક બહાર ઉભું હતું. તો બીજી તરફ, આ બેંકમાં વધુ ફોર્મ આવ્યા ન હોવાથી પ્રિન્ટર પરથી પ્રિન્ટ કાઢીને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોને ઓનલાઈન ફોર્મ મેળવી લેવા કહેવામાં આવ્યું હતું. 
May 21,2020, 14:10 PM IST
વિજય નહેરા ફરીથી AMCમાં સત્તા પર આવી શકે છે, ગમે ત્યારે ચાર્જ સંભાળશે
અમદાવાદમાં AMC કમિશનર તરીકે વિજય નહેરા ફરી સત્તામાં આવી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોઈપણ સમયે વિજય નેહરા પોતાનો ચાર્જ સંભાળી શકે છે.  પણ ચાર્જમાં આવ્યા બાદ વિજય નેહરાની સત્તા ઉપરઅનેક નિયંત્રણ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી મળ્યા અનુસાર, અગાઉ તેઓ તમામ નિર્ણય સ્વતંત્ર રીતે કરતા હતા. ત્યારે હવે તેઓને વર્તમાન acs રાજીવ ગુપ્તાના હાથ નીચે કરવું પડશે. વિજય નેહરાનું કામ હાલમાં મુકેશ કુમાર કામ કરી રહ્યા છે તે મુજબ જ નિયંત્રિત રહેશે. નેહરાની ભૂમિકા  કેવી રહેશે તે અંગે હજી જાણવા મળ્યું નથી. વિજય નેહરાની અગાઉની ભૂમિકામાં સરકાર મોટો ફેરફાર કરશે. 
May 13,2020, 12:51 PM IST
આજે રાજ્યની કેબિનેટ બેઠક યોજાશે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નહિ રહે હાજર
May 13,2020, 11:55 AM IST
અમદાવાદ : ખાનગી હોસ્પિટલ-ક્લિનિક ન ખોલનાર 228 તબીબોને નોટિસ ફટકારાઈ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની આજે મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લેવાયા છે. આજે વધુ 800 બેડની 8 ખાનગી હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ચાંદખેડા, કુબેરનગર, આંબાવાડી, બાપુનગર, મેમકો, સાયન્સ સીટી, મણિનગરમાં ખાનગી હોસ્પિટલો (private hospitals) ને મંજૂરી અપાઈ છે. આ સાથે કુલ 16 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરાયાં છે. આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં 228 ખાનગી ક્લિનિક-હોસ્પિટલ ખૂલ્યાં છે. શહેરમાં 3000 બેડની 60 હોટલોને કોવિડ સ્પેશિયલ સેન્ટર બનાવવા આદેશ કરાયા છે. અમદાવાદના 1409 જેટલા સુપર સ્પ્રેડર્સની આજે દરેક ઝોનમાં ચકાસણી થઈ હતી. સુપર સ્પ્રેડર્સ લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે સફળતાપૂર્વક અમલી બનાવ્યાનો સંકલન અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા દાવો કરાયો છે.
May 8,2020, 11:19 AM IST

Trending news