Lata mangeshkar News

રાજુલાનું મોરંગી ગામ આજીવન લતા મંગેશકરનુ ઋણી રહેશે, જે તેમણે કર્યુ તે ક્યારેય નહિ ભૂ
મહાન ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) ની અચાનક ચીર વિદાય થતા સંગીત પ્રેમીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરનું કનેક્શન ક્યાંકને ક્યાંક અમરેલી સાથે કાયમ જોવા મળ્યું હતું. લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશ રાઠોડ જે રાજુલા તાલુકાના મોરંગી ગામના હતા. જેઓ હાલ મુંબઈમાં રહીને લતા મંગેશકર માટે કામ કરતા હતા. જેથી લતા મંગેશકર અમરેલી જિલ્લાથી ખૂબ સારી રીતે વાકેફ હતા. અહીં તેમણે રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ભવ્ય સાઈનાથનુ મંદિર બનાવવા મદદ કરી હતી. આ મંદિરનો તમામ ખર્ચો લતા મંગેશકરે આપ્યો છે. અહીં ભગવાન સાંઈનાથની મૂર્તિ લતા દીદી દ્વારા શિરડીથી મોકલવામાં આવી હતી. આ મૂર્તિના સ્થાપન વખતે શિરડી મંદિરના પુજારી અમરેલી આવ્યા હતા અને આ મૂર્તિનું સ્થાપન તેમના હસ્તે કરાયુ હતું. 
Feb 6,2022, 15:57 PM IST

Trending news