Cabinet ministers News

રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કેટલાક બંધ મકાનની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 2 મંત્રીઓના માટે નિબંધ ઓફિસોની સાફ-સફાઈ કરવામાં આવતા મંત્રીમંડળ વિસ્તરણની શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળ વિસ્તારના બંધ આવાસ અને સ્વર્ણિમ સંકુલ 2 ની બંધ ઓફિસની સાફ-સફાઇ નિયમિત રીતે સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. અમને હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે કોઈ સૂચનાઓ મળી નથી. 
Jul 23,2020, 8:18 AM IST

Trending news