19 મેના સમાચાર News

અમદાવાદ : શાહપુર પથ્થરમારામાં RSS-ભાજપના નામે ખોટો મેસેજ ફેલાવનાર શખ્સ સામે ફરિયાદ ન
અમદાવાદના શાહપુરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર પથ્થરમારા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઉશ્કેરણી જનક ટ્વિટ કરાઈ હતી. ત્યારે આ ખોટી ટ્વિટ કરવાના મામલે ફરિયાદ થઈ છે. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરતી ટ્વિટ કરનાર ટ્વિટર હેન્ડલર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. આ ટ્વિટમાં ક્રાઇમ બ્રાન્ચ અને શાહપુર પોલીસના જવાનોને RSS અને ભાજપના લોકો હોવાનું બતાવ્યું છે. ખોટો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. સિવિલ ડ્રેસમાં ફરજ બજવતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોને ભાજપના અને RSSના માણસો બતાવવાનો પ્રયાસ કરાયો છે. ખોટો વીડિયો કોને બનાવ્યો હતો તે અંગે સાઇબર ક્રાઇમે  તપાસ શરૂ કરી. 
May 20,2020, 12:39 PM IST
"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી
શ્રમિક ટ્રેનો બસ દ્વારા પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં છે. કોરોનાથી ભયયુક્ત બનેલા શ્રમિકો પોતપોતાના વતન સરળતાથી અને સુખરૂપ પહોંચી શકે તે હેતુથી ટ્રેનો અને બસો દોડાવવામાં આવી છે. તો કેટલાક ગરીબ પરપ્રાંતિયો મજબૂર થઈને પગપાળા વતન તરફ જવા નીકળ્યા છે. આવામાં, સૌથી વધુ મહત્વનું વતન પહોંચવું છે. પોતાના લાડકવાયા કે સ્નેહીજનની ચિંતા કોને ન હોય ?  ટ્રેનમાં સરળતાથી સીટ મળી ગયા બાદ શ્રમિકો પોતાને નસીબદાર ગણી રહ્યાં છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો. માદરે વતન ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે પરત ફરી રહેલા અને પોતાની રાહ જોઇ રહેલા પરિવારને વીડિયો કોલ કર્યો ત્યારે શેખરસિંગના માતા વીડિયો કોલ પર પોતાના પુત્રને પાછા આવતા જોઇ ભાવવિભોર બન્યા હતા. સાથે જ તેમનો દીકરો જલ્દી જ પરત ફરશે તેવી આશા જાગી હતી.
May 20,2020, 9:31 AM IST
લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા
May 20,2020, 8:15 AM IST
પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી
May 19,2020, 15:58 PM IST
બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર
કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.
May 19,2020, 15:25 PM IST
રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ
May 19,2020, 13:17 PM IST
નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શક
લોકડાઉન 4  ના પગલે અમદાવાદમાં સુધારા સાથે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશના આધારે પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. જેના મુજબ, અમદાવાદ (Ahmedabad)ના પશ્ચિમ વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવા મંજૂરી અપાઈ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય ધંધા રોજગાર 8 થી 4 દરમિયાન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુ ધંધા-રોજગારને મંજૂરી આપવામાં આવી નથી. પૂર્વ વિસ્તારમાં કોરોના વધુ કેસને પગલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયનું અમદાવાદ પોલીસ ચુસ્તપણે પાલન કરાવશે. અમદાવાદ પશ્ચિમમાં ધંધા રોજગાર કે દુકાન માલિકોને એકી સંખ્યા અને બેકી સંખ્યા પ્રમાણે ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખોલી શકાશે. તો પશ્ચિમ વિસ્તારમાં હેર કટિંગ સલૂન વાહનોના સર્વિસ સ્ટેશન અને ગેરેજ ખોલવા માટે મંજૂરી અપાઈ છે. તો જાહેરનામામાં સ્પષ્ટપણે કહેવાયં છે કે, સાંજે 7 થી સવારના 7 સુધી પોલીસ અમદાવાદમાં લોકડાઉનનો કડકપણ પાલન કરાવશે.
May 19,2020, 14:43 PM IST
આજથી ગુજરાત લોકડાઉનમુક્ત : આખરે જનજીવન ધબકતુ થયું, લોકોની ગાડી પાટા પર આવી
ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ આખરે આજે ગુજરાત લોકડાઉન મુક્ત થયું છે. 60 દિવસ બાદ ગુજરાતનું જનજીવન ધબકતુ જોવા મળ્યું. લોકો કોઈ પણ જાતના ડર વગર રોડ પર નીકળ્યા. કરિયાણા અને દૂધ-દવા સિવાયની દુકાનો ધીરે ધીરે ખૂલવા લાગી. ગુજરાતનો શ્વાસ પાછો આવ્યો હોય તેવુ રસ્તા પર આજે અનુભવાયેલુ જોવા મળ્યું. લોકોએ કોરોનાને ભૂલીને રાબેતા મુજબ જનજીવન શરૂ કર્યું હતુ. ગુજરાતના દરેક શહેરોમાં જનજીવન રાબેતા મુજબ પાટા પર આવતા હોવાના એંધાણ વર્તાવા લાગ્યા. તો શહેરની ગલીઓ, નાકા, રોડ-રસ્તા પર લોકોએ કોરોનાનો ડર ભલે કોરાણે મૂક્યો હોય, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા. 
May 19,2020, 9:00 AM IST

Trending news