કોરોનાના નવા કેસ મામલે કચ્છ જિલ્લાએ વડોદરા-ભાવનગર-રાજકોટને પણ પાછળ પાડી દીધું

ગુજરાતમાં જે નવા કેસનો આંકડો સામે આવ્યો તેમાં 21 કેસની સાથે કચ્છ જિલ્લો ત્રીજા નંબરે ઉપર આવી ગયું છે. નવા નોંધાયેલા આજે પોઝિટિવ કેસમાં અમદાવાદ અને સુરત બાદ કચ્છ ત્રીજા નંબરે છે. આમ, કચ્છ જિલ્લા નવા પોઝિટિવ કેસ મામલે વડોદરા, ભાવનગર, રાજકોટને પણ પાછળ રાખી દીધું છે. જોકે, કચ્છની યાદીમાં છબરડો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ તંત્ર દ્વારા દર્દીના નામનાં છબરડો વાળવામાં આવ્યો હતો. 
કોરોનાના નવા કેસ મામલે કચ્છ જિલ્લાએ વડોદરા-ભાવનગર-રાજકોટને પણ પાછળ પાડી દીધું

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગુજરાતમાં જે નવા કેસનો આંકડો સામે આવ્યો તેમાં 21 કેસની સાથે કચ્છ જિલ્લો ત્રીજા નંબરે ઉપર આવી ગયું છે. નવા નોંધાયેલા આજે પોઝિટિવ કેસમાં અમદાવાદ અને સુરત બાદ કચ્છ ત્રીજા નંબરે છે. આમ, કચ્છ જિલ્લા નવા પોઝિટિવ કેસ મામલે વડોદરા, ભાવનગર, રાજકોટને પણ પાછળ રાખી દીધું છે. જોકે, કચ્છની યાદીમાં છબરડો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ તંત્ર દ્વારા દર્દીના નામનાં છબરડો વાળવામાં આવ્યો હતો. 

લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા 

કચ્છમાં ગઇ કાલે સામે આવેલ 21 કોરોના પોઝિટિવ કેસની યાદીમાં ભૂલ જોવા મળી હતી. 4 મહિનાના બાળકનું સરનામું ગાંધીધામની જગ્યાએ ભુજ બતાવ્યું હતું અને ગામના નામોમાં છબરડા વાળ્યા હતા. DDO અને આરોગ્ય અધિકારીના સંકલનના અભાવથી પ્રજા પાસે કોરોનાના ખોટા મેસેજ જઈ રહ્યા છે. 21 પોઝીટીવ કેસની યાદી માં ભૂલ હોવાનું ધ્યાન દોરતા પણ યાદી બદલવામાં ન આવી. આમ કચ્છવાસીઓને કોરોનાના કેસની યોગ્ય માહિતી આપવા માટે DDO અને આરોગ્ય અધિકારી જેવા જવાબદાર અધિકારીઓ નિષ્ફળ ગયા છે. તો બીજી તરફ, કચ્છનું વહીવટી તંત્રનું કોમ્યુનિકેશન નબળું  હોવાનું લોકોએ જણાવ્યું. 

કચ્છમાં મોટી સંખ્યામાં મુંબઈથી લોકો આવી રહ્યાં છે. રોજ ટ્રેનોમાં મુંબઈમાં વસતા કચ્છીઓ પોતાના માદરે વતન પહોંચી રહ્યાં છે. તો ગઈકાલે પૂર્વ કચ્છ મુંબઈથી ખાસ ટ્રેન ગાંધીધામ આવી પહોંચી હતી. મુંબઈમા વસતા કચ્છીઓ પોતાના માદરે વતન પહોંચ્યા. આ ટ્રેનમાં 1180 લોકોને લાવવામાં આવ્યા છે. 450 લોકોને ભુજ અને બાકીના તમામ લોકોને ગાંધીધામ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગાંધીધામ અને ભુજ ખાતે તમામ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તમામને એસ. ટી. બસ મારફતે ક્વોરેન્ટાઇન સેન્ટર રવાના કરાયા છે. 

તો ગઈકાલે સરકાર દ્વારા અપાયેલી આંતર જિલ્લાની છૂટછાટ કચ્છ માટે મોટી આફત સર્જી શકે છે. ખાનગી વાહનોથી પરમીટ વગર અવરજવર કરવાનો નિર્ણય જોખમી સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધી આવેલા પોઝિટિવ કેસો મોટાભાગના બહારના છે. ખુદ અધિકારીઓ પણ અવઢવમાં  છે. રેડઝોન વાળા કે બહારના લોકોને કચ્છમાં આવવાની છૂટ નહિ આપવાનો અભિપ્રાય આરોગ્ય ખાતાએ આપ્યો છે. કારણ કે, એકસાથે નવા 21 કેસ પોઝિટિવ બહાર આવતા કચ્છમાં ભયનો માહોલ
 સર્જાયો છે. કચ્છ છે અમદાવાદ કે સુરત બનવા આગળ વધે તે પહેલા જાગૃતિ ખુબ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news