પાટીદાર આંદોલન News

પાટીદાર આંદોલનમાં પીડિત યુવાનનો રોષ બોલ્યો, ‘હાર્દિકે સમાજનો ઉપયોગ કર્યો,
પાટીદાર અનામત અનંદોલનના હબ એવા મહેસાણામાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાંની સાથે જ આજે પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે. એક તરફ દિગ્ગજ નેતા બનવાની લ્હાયમાં પાટીદાર સમાજનો ઉપયોગ હાર્દિકે કર્યાનો આક્ષેપ મહેસાણાના મૃતક પરિવારો અને ઘાયલ પરિવારોએ કર્યો છે. બીજી તરફ આજે પરિવારની આંખો તેમના મૃતક અને ઘાયલ પરિવારના સભ્યના ફોટા જોતા છલકાઈ આવે છે. હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજનો ઉપયોગ કરાયો. હાર્દિક પટેલે એનું ઘર ભર્યું છે. આ વાક્ય છે મહેસાણાના પાટીદાર અનામત આંદોલનના મૃતક પરિવારના. ગઈકાલે વિધિસર રીતે કોંગ્રેસમા જોડાયેલ હાર્દિકને લઈને આજે મહેસાણામાં રોષ જોવા મળી રહ્યો છે. 
Mar 13,2019, 15:55 PM IST

Trending news