IPL 2023: બાપરે! ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની લડાઈમાં હવે UP પોલીસ પણ કૂદી, જાણો શું કહ્યું?

IPL 2023: બાપરે! ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની લડાઈમાં હવે UP પોલીસ પણ કૂદી, જાણો શું કહ્યું?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સોમવારે રમાયેલી મેચ દરમિયન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા ધર્ષણ મુદ્દે હવે ઉત્તર પ્રદેશ પોલીસે પણ રસપ્રદ કમેન્ટ કરી છે. કોહલી અને ગંભીર વચ્ચે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

આ બધા વચ્ચે યુપી પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે કે, 'કોઈ પણ મુદ્દો અમારા માટે 'વિરાટ' અને 'ગંભીર' નથી. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં તરત 112 ડાયલ કરો.' યુપી પોલીસે પોતાની ટ્વીટમાં વિરાટ  કોહલી અને ગૌતમ ગંભીરના ઘર્ષણનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે 'દલીલથી અંતર જાળવો, અમને કોલ કરવામાં નહીં. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં 112 ડાયલ કરો.' વાત જાણે એમ છે કે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નવીન ઉલ હક અને કોહલી વચ્ચે કોઈ વાત પર તણખા ઝર્યા. 

— UP POLICE (@Uppolice) May 2, 2023

ત્યારબાદ અમિત મિશ્રા અને એમ્પાયર્સે વચ્ચે પડીને મામલો શાંત કર્યો. પંરતુ આ મામલો અહીં જ અટક્યો નહીં અને મેચ બાદ કોહલીએ કાઈલ માયર્સ સાથે વાત કરી, આ દરમિયાન ગંભીર ત્યાં આવ્યા અને તેને બીજી બાજુ લઈ ગયા. ત્યારબાદ ગંભીર અને કોહલીમાં ટકરાવ થયો. 

શું હતો વિવાદ
આ સમગ્ર વિવાદનો ખુલાસો પીટીઆઈએ કર્યો છે. ન્યૂઝ એજન્સીએ એક સૂત્ર સાથે વાત કરી જે આ સમગ્ર વિવાદનો પ્રત્યક્ષદર્શી છે અને આ ઘટના સમયે ડગઆઉટમાં હાજર હતો. સૂત્રએ જણાવ્યું કેતમે ટીવી પર જોયું કે મેચ બાદ મેદાન પર જ મેયર્સ અને કોહલી ચાલતા ચાલતા કઈક વાત કરતા હતા. મેયર્સે કોહલીને પૂછ્યું કે તેઓ તેને સતત ગાળો કેમ આપતા હા. જેના પર કોહલીએ તેમને પૂછ્યું કે તે તેને કેમ ઘૂરતો હતો? આ અગાઉ અમિત મિશ્રાએ પણ એમ્પાયરને ફરિયાદ કરી હતી કે કોહલી સતત નવીનને ગાળો આપતા હતા જે નંબર 10 પર બેટિંગ કરવા માટે આવ્યો હતો

ગંભીરે કડક શબ્દોમાં કોહલીને સમજાવ્યો
સૂત્રના જણાવ્યાં મુજબ જ્યારે કોહલીએ કમેન્ટ કરી તો ગંભીરે મામલો સમજ્યો અને વાત આગળ વધે તે પહેલા તેઓ મેયર્સને ખેંચીને સાઈડમાં લઈ જવા લાગ્યા અને વાત કરવાની ના પાડી દીધી. ત્યારબાદ જે ચર્ચા થઈ તે થોડી બાલીશ લાગી. ગંભીરે (કોહલીને) પૂછ્યું કે શું બોલી રહ્યો છે બોલ? જેના પર કોહલીએ કહ્યું કે- 'મે તમને કશું કહ્યું નથી, તમે કેમ ઘૂસી રહ્યા છો?'

સૂત્રએ જણાવ્યું કે ત્યારબાદ ગંભીરે કહ્યું કે- 'તે જો પ્યેરને કહ્યું છે તેનો અર્થ છે તે મારા પરિવારને ગાળ આપી છે.' જેના પર કોહલીએ કહ્યું કે, 'તો પછી તમારા પરિવારને સંભાળીને રાખો.' ત્યારબાદ અંતમાં ગંભીરે કહ્યું કે- તો હવે મને શિખવાડીશ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news