રશિયન રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત, પુતિનને જુના મિત્રની જેમ ભેટી પડ્યા PM મોદી

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું

રશિયન રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત, પુતિનને જુના મિત્રની જેમ ભેટી પડ્યા PM મોદી

નવી દિલ્હી : રશિય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની અધિકારીક યાત્રા પર ભારત આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પર પુતિનની આગેવાની કરવા માટે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતે હાજર રહ્યા હતા. ત્યાર બાદ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે એરપોર્ટથી સીધા જ રવાના થયા હતા. 


વડાપ્રધાન મોદીએ પુતિનનાં ભારત આવવા અંગે ટ્વીટર પર લખ્યું કે, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત છે. આ મુલાકાતતી ભારત અને રશિયાની મિત્રતા વધારે પ્રગાઢ બનશે. 


પુતિનની ભારત મુલાકાત દરમિયાન રશિયાની સાથે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ અંગે મહત્વની સમજુતી થઇ શકે છે. પુતિન પોતાની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી સાથે ભારત-રશિયા શિખર સમ્મેલનમાં ભાગ લેશે. બંન્ને નેતાઓ ઇરાન પર અમેરિકી પ્રતિબંધને ધ્યાને રાખી કાચા તેલની સ્થિતી સહિત અલગ અલગ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. તેઓ સાંજે 7.00 વાગ્યે નવી દિલ્હી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કર્યું હતું. તેઓનો આ પ્રવાસ બંન્ને દેશો માટે ખુબ જ મહત્વપુર્ણ છે,  તેમના આ બહુપ્રતિક્ષિત પ્રવાસ ન માત્ર ભારત પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચાનો મુદ્દો બન્યો છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે પોતાનાં પ્રવાસ દરમિયાન ભારત રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે. પુતિન પોતાના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. બંને નેતાઓ ઈરાન પર અમેરિકી પ્રતિબંધને ધ્યાનમાં રાખીને ક્રુડ ઓઈલની સ્થિતિ સહિત વિભિન્ન દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી શકે છે. 

19માં ભારત-રશિયા સંમેલન દરમિયાન બંને નેતાઓ રશિયન ડિફેન્સ કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધના બેકગ્રાઉન્ડમાં દ્વિપક્ષીય રક્ષા સંબંધોની પણ સમીક્ષા કરી શકે છે. પુતિનના આ ભારત પ્રવાસ દરમિયાન મુખ્ય ભાર એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર કેન્દ્રીત રહેશે. રશિયાના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું હતું કે આ  પ્રવાસની મુખ્ય વિશેષતા એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની આપૂર્તિ માટે ડીલ પર હસ્તાક્ષર કરવાના હશે અને આ કરાર પાંચ અબજ ડોલરની રકમ કરતા વધુનો  હશે. 

પુતિનના ટોચના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે કહ્યું કે રાષ્ટ્રપતિ ચાર ઓક્ટોબરના રોજ ભારત રવાના થઈ રહ્યાં છે. આ દરમિયાન એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની આપૂર્તિ માટેના કરાર પર ભાર રહેશે. આ ખરીદથી અમેરિકાના કાઉન્ટરિંગ અમેરિકા એડવર્સરીઝ થ્રુ સેક્શન એક્ટ (સીએએટીટીએસએ)નો ભંગ થશે. જો કે તેમાં છૂટ મળવાની શક્યતા છે. 

— ANI (@ANI) October 4, 2018

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 19મી ભારત-રશિયા શિખર વાર્તા માટે 4-5 ઓક્ટોબરના રોજ દિલ્હીની મુલાકાતે હશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદી સાથે અધિકૃત રીતે વાર્તા કરશે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મુલાકાત કરશે. હાલમાં જ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભારત-રશિયા ઈન્ટર ગવર્મેન્ટલ કમીશન અને ટેક્નિકલ ઈકોનોમિક કો ઓપરેશન(આઈઆરઆઈજીસી-ટેક)ની 23મી બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના પ્રવાસે ગયા હતાં. 

— ANI (@ANI) October 4, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news