આ પાટીદાર દિગ્ગજો ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા, 40 ટ્રસ્ટીઓના નામોનું આ રહ્યું આખું લિસ્ટ

Khodaldham : ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલ સહિત નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાણો કયા કયા દિગ્ગજો બન્યા ખોડલધામના નવા ટ્રસ્ટી 

આ પાટીદાર દિગ્ગજો ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા, 40 ટ્રસ્ટીઓના નામોનું આ રહ્યું આખું લિસ્ટ

Khodaldham ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યોએ હાજરી આપી. ત્યારે આ પ્રસંગની ખાસ વાત એ છે કે, ટ્રસ્ટમાં 40 નવા ટ્રસ્ટીઓનો સમાવેશ કરાયો છે. આ તમામ ગુજરાતના દિગ્ગજ પાટીદારો છે. જેમાં ખાસ તો, પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલના પુત્રી અનાર પટેલનો પણ સમાવેશ કરાયો છે. અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રથમ મહિલા ટ્રસ્ટી બન્યા છે. 

મોટી સંખ્યામા પાટીદાર સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. 

અનાર પટેલ સહિત નવા 40 થી વધુ ટ્રસ્ટીઓનો આજે ખોડલધામમાં સમાવેશ કરાયો છે. ત્યારે જાણી લો કયા કયા છે આ ટ્રસ્ટીઓ, અને કયા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે.

જગદીશભાઈ ડોબારીયા - જેપી ઈન્ફ્રા
ગુણવંતભાઈ ભાદાણી - સ્વાગત ગ્રૂપ
દુષ્યંતભાઈ ટીલાળા - રાજન ટેકનોકાસ્ટ
વીપી વૈષ્ણવ - ચેમ્બર પ્રમુખ
ચંદ્રકાંતભાઈ ભાલાળા - બાલાજી મલ્ટીપ્લેક્સ
વિમલભાઈ પાદરીયા - સિદ્ધી વિનાયક ગ્રૂપ
સંજય સાકરીયા - આસોપાલવ ગ્રૂપ
મનોજ સાકરીયા - સોપાન ગ્રૂપ
રમેશ પાંભર - ટેકલાઈન ઈન્ડસ્ટ્રીઝ
વિનુભાઈ સરધારા - મારૂતિ ગ્રૂપ
કમલનયન સોજીત્રા - ફાલ્કન ગ્રૂપ
ચંદુભાઈ પરસાણા - દિનેશ પરસાણા
અશોક પટેલ - જય ગણેશ ઓટો
પરસોત્તમભાઈ નારણભાઈ ગેવરીયા
નીરવભાઈ દેવચંદભાઈ ખૂટ
દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
રમેશ મેસિયા
ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
નાગજીભાઈ શિંગાળા
દિનેસભાઈ ભગવાનભાઈ બાંભણિયા
સુસ્મિતભાઈ રોકડ
ઘ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
રસિકભાઈ મારકણા
રમેશભાઈ કાથરોટીયા
મનીષભાઈ મુંગલપરા
દેવચંદભાઈ કપુપરા
મનસુખભાઈ ઉઘાડ
રસિકભાઈ ઝાલાવાડિયા
મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
હિંમતભાઈ બાબુભાઈ શેલડિયા
ભૂપતભાઈ પોપટભાઈ રામોલિયા
ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
પંકજકુમાર નાથાભાઈ ભુવા
કિશોરભાઈ સાવલિયા
નાથાભાઈ મુંગરા
નેહલભાઈ પટેલ
જીતુભાઈ તંતી
પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ

આ પણ વાંચો :

આજે ખોડલધામમા યજ્ઞ, લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા લોકસંસ્કૃતિનું રસપાન કરાવવામાં આવશે. તો આજે ખોડલધામ ખાતે એક ભવ્ય સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મા ખોડલના મંદિર ખોડલધામમાં આજે મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજનુ મહેરામણ જોવા મળ્યું છે. આ મહોત્સવને પગલે ચાર હજારથી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news