જુનાગઢ યુનિવર્સિટી: જો પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને વિમા કવચ આપવાની NSUI ની માંગ

જુનાગઢ યુનિવર્સિટી: જો પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને વિમા કવચ આપવાની NSUI ની માંગ

* નરસિંહ મહેતા યુનિ. ખાતે કુલપતિને આપ્યું આવેદનપત્ર
* NSUI મહામંત્રી નિખીલ સવાણી સહીતના કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર
* યુનિ. ના પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લેવામાં આવે તેવી કરી રજૂઆત
* કોરોના સ્થિતીમાં જો કોઈ વિધાર્થી સંક્રમીત થાય તો તેને મળી શકે રાહત
* યુનિ. ની આગામી પરીક્ષાને લઈને વિધાર્થીના હિતમાં કરી રજૂઆતો

જૂનાગઢ : NSUI દ્વારા યુનિ. ની આગામી પરીક્ષાઓને લઈને નરસિંહ મહેતા યુનિ. ખાતે કુલપતિને આવેદનપત્ર આપવામા આવ્યું. NSUI મહામંત્રી નિખીલ સવાણી સહીતના કાર્યકરોએ યુનિ. ના પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લેવામાં આવે તેવી રજૂઆત કરી, હાલ કોરોના સ્થિતીમાં જો કોઈ વિધાર્થી સંક્રમીત થાય તો તેને રાહત મળી શકે અને યુનિ. ની આગામી પરીક્ષાને લઈને વિધાર્થીના હિત જે રજૂઆતો કરવામાં આવી છે તેની અમલવારી થાય તેવી માંગ કરવામાં આવી હતી.

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આગામી 25 ઓગષ્ટ થી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિધાર્થીઓના હિતમાં  NSUI દ્વારા વિવિધ મુદ્દે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.  NSUI ની માંગ છે કે જે રીત સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પરીક્ષાર્થીઓની વિમા પોલીસી લેવાનો નિર્ણય કરાયો છે તે જ રીતે નરસિંહ મહેતા યુનિ. પણ પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લે જેથી કોઈ વિધાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો જો વિમા પોલીસી હોય તો વિધાર્થીને આર્થિક મદદ મળી રહે ઉપરાંત પરીક્ષા સબંધી વિધાર્થીના હિતમાં યુનિ. નિર્ણયો કરે તેવી રજૂઆતો કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news