GUJARAT CORONA UPDATE: ફરી એકવાર ગુજરાતમાં કોરોનાએ વિકરાળ રૂપ દેખાડ્યું, સો ટકા ફરી કોરોના કહેર વરસાવશે!

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5995 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5980 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,35,129 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,965 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

GUJARAT CORONA UPDATE: ફરી એકવાર ગુજરાતમાં કોરોનાએ વિકરાળ રૂપ દેખાડ્યું, સો ટકા ફરી કોરોના કહેર વરસાવશે!

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડા બાદ આજે એકાએક ફરી વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત 1000ને પાર ગયા છે, એટલે કે આજે 1101 કેસ નોંધાયા છે.  સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1101 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 886 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5995 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5980 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,35,129 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,965 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 364 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 78, મહેસાણા 76, ગાંધીનગર 60, વડોદરા 58, સુરત કોર્પોરેશનમાં 48, રાજકોટ કોર્પોરેશન 43, ગાંધીનગર કોર્પોરેશનમાં 40, કચ્છ 38, સુરત 29, બનાસકાંઠા 26, વલસાડ 22, ભાવનગર કોર્પોરેશનમાં 21, નવસારી 19, ભરૂચ 18, અમરેલી 17, સાબરકાંઠા 17, પાટણ 16, રાજકોટ 16, આણંદ 14, અમદાવાદ 10, મોરબી 10, પોરબંદર 9, દેવભૂમિ દ્વારકા 8, અરવલ્લી 6, ખેડા 6, પંચમહાલ 5, તાપી 5, ભાવનગર 4, બોટાદ 3, જામનગર 3, જામનગર કોપોરેશન 3, સુરેન્દ્રનગર 3, મહીસાગર 2, છોટા ઉદેપુર 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1 એમ કુલ 1101 કેસ નોંધાયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,65,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2227 ને રસીનો પ્રથમ અને 8721 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 429 ને રસીનો પ્રથમ અને 2051 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 46559 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 3504 ને રસીનો પ્રથમ અને 3299 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 298711 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,49,87,066 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news