આમ જ ચાલ્યું તો કોરોનાના લાખો ખાટલા ઘેર ઘેર હશે, નવા આંકડા જાણીને સીધી ગામડાની જ બસ પકડશો

ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 177 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 66 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,18,298 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 41,031 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. 
આમ જ ચાલ્યું તો કોરોનાના લાખો ખાટલા ઘેર ઘેર હશે, નવા આંકડા જાણીને સીધી ગામડાની જ બસ પકડશો

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 177 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 66 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,18,298 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 41,031 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. 

No description available.
(રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતિ)

No description available.
(નવા નોંધાયેલા ઓમિક્રોનનાં કેસની વિગત)

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 948 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 નાગરિકો વેન્ટિલેટર પર છે. 938 સ્ટેબલ છે. 8,18,298 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10113 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. કુલ 177 નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશન 15, રાજકોટ 12, વલસાડ 8, સુરત 5, અમરેલી, ગીર સોમનાથ, ખેડા, કચ્છમાં 4-4, બનાસકાંઠા-જામનગરમાં 3-3,  આણંદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશનમાં 2-2, અમદાવાદ, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન જામનગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને વડોદરામાં 1-1 કેસ સામે આવ્યો છે. 

No description available.
(રાજ્યમાં આજે નવા નોંધાયેલા કોરોનાના કેસ)

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3ને પ્રથમ 92 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1472ને પ્રથમ અને 8355 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5597ને પ્રથમ અને 25512ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 41,031 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,81,96,230 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

No description available.
(આજના રસીકરના આંકડા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news