VIDEO: પિઝાના શોખીનો સાવધાન, આ પ્રખ્યાત પિઝા સેન્ટરના ફૂડમાંથી નીકળી જીવાત, સડેલાં બટાકાનો...

Papa louie pizza Bopal: પીઝા સેન્ટરમાં ગયેલા ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે પાપા લુઇસ સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. અહીં બટાકા સડેલી હાલતમાં હોય છે જેમા જીવાત નીકળે છે.

VIDEO: પિઝાના શોખીનો સાવધાન, આ પ્રખ્યાત પિઝા સેન્ટરના ફૂડમાંથી નીકળી જીવાત, સડેલાં બટાકાનો...

ઝી બ્યુરો/અમદાવાદ: શહેરની વધુ એક રેસ્ટોરન્ટની વાનગીમાં જીવાત નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદના જાણીતા ફૂડ આઉટલેટના પિઝામાંથી જીવાત નિકળી છે. આ સાથે જ બોપલના પાપા લુઈસ પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, વાનગી બનાવવામાં સડેલાં બટાકાનો ઉપયોગ કરાયાની ફરિયાદ કરવામાં આવી છે. 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બોપલ નજીક પાપા લુઇસ નામના પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો આરોપ લાગ્યો છે. અમદાવાદના પાપા લુઇસ પિત્ઝા સેન્ટરમાં જીવાત નિકળવાનો દાવો કરતા વીડિયો વાયરલ કર્યો છે. એટલું જ નહીં, પાપા લુઇસના સેન્ટરમાં બટાકા પણ સડેલી હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદીએ પાપા લુઇસ પિઝા સેન્ટર દ્વારા આપવામાં આવેલ બીલની કોપી પણ આ વીડિયોમાં શેર કરી છે. જેમા કસ્ટમરને પાણીની બોટલનું બીલ પણ અપાયું હોવાનો પણ દાવો કરાયો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 8, 2023

પીઝા સેન્ટરમાં ગયેલા ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે પાપા લુઇસ સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. અહીં બટાકા સડેલી હાલતમાં હોય છે જેમા જીવાત નીકળે છે.

મહત્વનું છે કે શહેરના અમુક જાણીતા કાફે અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. સારા ફૂડની મજા માણવા ઉપરાંત ઉજવણીના માહોલમાં તેમજ ફોટોગ્રાફી માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે અમદાવાદનું વધુ એક પિઝા સેન્ટર વિવાદમાં સપડાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news