દેશદ્વોહ કેસમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ

રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ સેશન્સ કોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરાયું છે. રાજદ્રોહ કેસમાં ઉલટ તપાસની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ કોર્ટ પ્રક્રિયામાંથી સતત જુદા જુદા કારણોસર ગેરહાજર રહ્યો છે. રાજદ્રોહ કેસમાં અગાઉની મુદ્દતમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હતો તે સમયે હાર્દિક પટેલની અરજી કોર્ટે મંજુર પણ રાખી હતી. પરંતુ હાર્દિકે ફરી એકવાર પોતે હાજર રહી શકશે નહીં તેવું કોર્ટમાં જણાવતા હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ કાઢ્યું છે.

Trending news