કોંગ્રેસે શહીદ દિને ટ્વિટર પર માર્યો મસમોટો લોચો

દેશ અને દુનિયાના ઈતિહાસના પાનામાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચની તારીખે નોંધાયેલી છે. પરંતુ ભારતના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. આ દિવસે ભગત સિંહ અને તેમના સાથી ઓ રાજગુરુ તથા સુખદેવને ફાંસી અપાઈ હતી. આજનો દિવસ ભારતીયો શહીદ દિવસ તરીકે ઉજવે છે અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા પોતાના વીર સપૂતોને યાદ કરે છે. શહીદ દિવસે કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક એવો ફોટો શેર કર્યો છે જેના લીધે ફરીથી એકવાર કોંગ્રેસ પર સવાલ ઉઠ્યા છે.

Trending news