લોકરક્ષક દળ News

LRD મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને, નીતિન પટેલ થયા નારાજ
LRD મુદ્દે નેતાઓએ CM વિજય રૂપાણીને લખેલા પત્રથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ની નારાજગી સામે આવી છે. નીતિન પટેલે આ નેતાઓને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, નેતાઓએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર ન લખવા જોઈએ. આવું કરવાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તેમજ કોંગ્રેસના નેતાઓ હકીકત જાણવા છતાં ગેરમાર્ગે દોરે છે. ઉલ્લેખનીય છે કે, એલઆરડી મુદ્દે અનેક નેતાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી શક્યા છે. આ નેતાઓના લિસ્ટમાં સાંસદ કિરીટ સોલંકી, પરબત પટેલ, જુગલજી ઠાકોર, પૂનમ માડમ, ભારતીબેન શિયાળ, કુંવરજી બાવળિયા તથા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પત્ર લખ્યો હતો. ત્યારે પત્ર લખનારા મોટાભાગના ભાજપના નેતાઓ જ છે. 
Jan 18,2020, 15:52 PM IST

Trending news