Post News

AHMEDABAD: વિજય નેહરા પાસે સરકારે પદ તો ખાલી કરાવ્યું પરંતુ બંગલો ખાલી ન કરાવી શકી
અમદાવાદમાં ફરી એકવાર કોરોના ખુબ જ વકરી રહ્યો છે ત્યારે વકરતા કોરોનાને કાબુ નહી કરી શકવાનાં કથિત કારણોસર પોતાનું પદ ગુમાવનાર વિજય નેહરા (Vijay Nehra) ફરી કોરોના વકરી રહ્યો છે ત્યારે ચર્ચામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશ્રનર (Commissioner)ને ફાળવવામાં આવતો બંગલો વિજય નેહરા (Vijay Nehra)એ હજી સુધી છોડ્યો નથી. એટલે કે પદ છોડ્યું પણ પદ સાથે મળતી સવલતો નેહરા છોડવા માટે તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્રરને આ બંગલો ફાળવવામાં આવતો હોય છે. જો કે આ બંગલો પદ છોડ્યા પછી પણ વિજય નેહરા (Vijay Nehra) છોડવા માટે તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. તેથી પદનો મોહ જેમ સરકારે (Government)  છોડાવ્યો તેમ બંગલો પણ હવે સરકાર (Government) ે જ દંડ દ્વારા છોડાવવો પડે તેવી સ્થિતી પેદા થઇ છે. 
Mar 19,2021, 16:46 PM IST
પિતા પુત્રના કારણે આખુ જૂનાગઢ રાતા પાણીએ રોઇ રહ્યું છે, કર્યું એવું કામ કે...
Jan 4,2021, 0:10 AM IST
કનિકાએ કોરોના અંગે તોડ્યું મૌન કહ્યું કે ખોટી હતી એટલે નહી પણ આ કારણથી હતી ચુપ...
Apr 26,2020, 19:44 PM IST

Trending news