વકર્યો નવઘણજી ઠાકોરની વિવાદાસ્પદ પોસ્ટનો મુદ્દો

તાજેતરમાંજ દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે પોતાના સમાજનું બંધારણ જાહેર કર્યુ છે. આ બંધારણ મુજબ સમાજની દીકરી જો અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તો તેના વાલીને દંડ અને બહિષ્કાર થશે. ઉપરાંત કુંવારી દીકરીઓના મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંધારણના સમર્થનમાં ઠાકોર એકતા સમિતીના પ્રમુખ નવઘણજી ઠાકોરે ફેસબુક પર વિવાદીત પોસ્ટ મૂકી હતી. નવઘણજીએ ફેસબુક પર લખ્યું કે ' સમાજની બહાર લગ્ન કરે તેને દૂધપીતી કરો '. આ પોસ્ટનો વિવાદ ભારે વકર્યો છે.

Trending news