Dailyhunt news gujarati News

નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ
અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ (Nithyanand) આશ્રમે પોતાની બે દીકરીઓને ગાયબ કરી દીધી હોવાના આરોપસર તમિલનાડુ (Tamilnadu) નાં માતાપિતા આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ દાખલ કરશે. માતાપિતાનો આરોપ છે કે એક દીકરીને નિત્યાનંદ વિદેશ ભગાડીને લઈ ગયો છે અને બીજી દીકરીને ગાયબ કરી દીધી છે. છેલ્લા ચાર દિવસથી માતાપિતા અમદાવાદ (Ahmedabad) માં છે પણ આશ્રમ (Nityanand Ashram) સત્તાવાળા માતાપિતાને પોતાની દીકરીઓથી મુલાકાત કરાવી શક્યા નથી. હજુ સુધી યુવતીઓનો કોઈ પતો નથી. યુવતીનાં માતા પિતાએ અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આશ્રમના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસને પણ યુવતીઓ મળી નથી. છેવટે હારીથાકીને લાપતા દીકરીઓનાં માતાપિતા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરશે. ત્યારે આ વિવાદ વચ્ચે આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ (Delhi Public Schoo) વચ્ચેની સાંઠગાંઠનો વિવાદ પણ સામે આવ્યો છે. 
Nov 18,2019, 10:24 AM IST

Trending news