Corona death 0 News

આગકાંડ બાદ શ્રેય હોસ્પિટલ સીલ, સંચાલક-મેનેજરની અટકાયત, CM રૂપાણીએ સહાયની જાહેરાત કરી
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની આઈસીયુમાં લાગેલી આગમાં અંદરથી નજારો જુઓ તો ધ્રૂજારી પેદા થાય તેવો છે. સમગ્ર આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે, અને કાળો બની ગયો છે. આવામાં આગ કેવી વિકરાળ હશે તે સમજી શકાય છે. આ આગે 8 દર્દીઓનો જીવ લીધો છે, જેઓ કોરોનાથી મુક્ત થવા માટે સારવાર લઈ રહ્યા હતા. શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંતની અટકાયત કરાઈ છે. હોસ્પિટલના મેનેજરની પણ અટકાયત કરાઈ છે.
Aug 6,2020, 10:47 AM IST
સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોને ચેક કર્યા વગર અમરેલીમાં એન્ટ્રી નહિ મળે
અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મોટાભાગના પોઝિટિવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવેલા લોકોના છે. જેથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા વાહનો અને મુસાફરોનું સઘન મેડિકલ ચેકઅપ તે અત્યંત જરૂરી બન્યું છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા તમામ મુસાફરો અને વાહનોને આવવા માટે લાઠીની ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનિંગ કરાવી અમરેલી જિલ્લામાં પ્રવેશવા ફરમાવ્યું હતું. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા વાહનો અને મુસાફરો ચાવંડ ચેકપોસ્ટ સિવાય અન્ય કોઈ પણ સ્થળેથી પ્રવેશ કરી શકશે નહિ.
Jul 16,2020, 15:11 PM IST
coronaupdates : ભાવનગરમાં નવા 6 કેસનો ઉમેરો, ભરૂચમાં પતિ બાદ પત્ની અને બે બાળકોને પણ
Jun 21,2020, 15:15 PM IST
મધ્ય ગુજરાતમાં પાદરા બન્યું કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ, 20 શાકભાજીના વેપારીઓ ઝપેટ
Jun 18,2020, 15:59 PM IST
ઈસ્કોન મંદિરમાં 25 ભક્તોને પ્રવેશ, જલારામ મંદિરમાં 60 ઉપરના અને 10 નીચેનાને પ્રવેશ ન
અનલોક 1માં આવતીકાલથી રેસ્ટોરન્ટ મંદિર અને મોલ ધમધમશે. સાથે જ આવતીકાલથી ધાર્મિક સ્થળો સરકારની ગાઇડલાન મુજબ મંદિરો ખૂલશે. જેમાં અમદાવાદના ઇસ્કોન મંદિરમાં સરકારની ગાઇડલાનના નિયમો માટે તૈયારી કરાઈ રહી છે. બે મહિનાથી વધુ દિવસથી તમામ મંદિરો બંધ હતા. જેથી ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ ના થાય માટે તે માટે ટોકન આપવામાં આવશે. 25 લોકોને આગળના ગેટથી અને 25 લોકો પાછળના ગેટથી પ્રવેશ આપવામાં આવશે. સાથે જ માસ્ક સેનેટાઇઝર અને ભક્તોના શરીરનું તાપમાન પણ માપવામાં આવશે. ત્યાર બાદ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે. સાથે જ મંદિરમાં બેરીકેટ દોરી બાંધી કરવામાં આવી છે, જેથી ભક્તો ભગવાનની નજીક ન જઇ શકે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ માટે રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. તો મંદિરમાં આવતીકાલથી ખીચડીનો પ્રસાદ આપવામાં નહિ આવે. કોરોના સંક્રમન ના વધે નહી તેવી તકેદારી પણ મંદિરોમાં રખાશે.
Jun 7,2020, 13:24 PM IST
‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી
‘બસ આ હોમ ક્વૉરન્ટાઇનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી હોસ્પિટલે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જવું છે, એ પણ બમણા જોશથી...’  કામ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારીથી ભારોભાર છલકાતા આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ. નિધિ છૈંયાના. મૂળ ઉપલેટાનાં ડૉ. નિધિ સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, આઇસોલેશન વૉર્ડમાં ડ્યુટી વખતે અન્ય ચાર આરોગ્યકર્મીઓની સાથે ડૉ. નિધિનો COVID-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હાલ તેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
May 30,2020, 15:07 PM IST
અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
May 30,2020, 14:27 PM IST
નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, ગુજરાતમાં 5000થી વધુ ટેસ્ટ થાય છે, તમારા ટેકાથી મહારાષ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવા આવેલી સુઓમોટો અરજીનો મામલામાં હાઇકોર્ટે અદ્યતન હોસ્પિટલને  કેમ કોરોના સારવારમાં લેવાઈ નથી તે મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, હાઈકોર્ટે જે અવલોકન અને ઓર્ડર કર્યા છે તે અંગે રાજ્યના એડવોકેટ જનરલ સાથે ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ અને cmoના સિનિયર અધિકારીઓએ ચર્ચા કરી છે. તમામે હાઈકોર્ટના અવલોકન મામલે અભ્યાસ કર્યો. સરકાર આગામી અઠવાડિયે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. કેટલાક દૈનિક પત્રોમાં મારા નામ સાથે ઘણી ટિપ્પણી કરવામાં આવી છે. કોર્ટ માં જે બાબત વિચારાધીન હોય, એ મામલે મારે કઈ કહેવાનું રહેતું નથી. કેસની મુદત દરમ્યાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવશે. મધ્યમોમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો એ બાબતે મારી વાત કરું છું. 
May 25,2020, 11:02 AM IST

Trending news