ઈસ્કોન મંદિરમાં 25 ભક્તોને પ્રવેશ, જલારામ મંદિરમાં 60 ઉપરના અને 10 નીચેનાને પ્રવેશ નહિ

અનલોક 1માં આવતીકાલથી રેસ્ટોરન્ટ મંદિર અને મોલ ધમધમશે. સાથે જ આવતીકાલથી ધાર્મિક સ્થળો સરકારની ગાઇડલાન મુજબ મંદિરો ખૂલશે. જેમાં અમદાવાદના ઇસ્કોન મંદિરમાં સરકારની ગાઇડલાનના નિયમો માટે તૈયારી કરાઈ રહી છે. બે મહિનાથી વધુ દિવસથી તમામ મંદિરો બંધ હતા. જેથી ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ ના થાય માટે તે માટે ટોકન આપવામાં આવશે. 25 લોકોને આગળના ગેટથી અને 25 લોકો પાછળના ગેટથી પ્રવેશ આપવામાં આવશે. સાથે જ માસ્ક સેનેટાઇઝર અને ભક્તોના શરીરનું તાપમાન પણ માપવામાં આવશે. ત્યાર બાદ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે. સાથે જ મંદિરમાં બેરીકેટ દોરી બાંધી કરવામાં આવી છે, જેથી ભક્તો ભગવાનની નજીક ન જઇ શકે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ માટે રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. તો મંદિરમાં આવતીકાલથી ખીચડીનો પ્રસાદ આપવામાં નહિ આવે. કોરોના સંક્રમન ના વધે નહી તેવી તકેદારી પણ મંદિરોમાં રખાશે.
ઈસ્કોન મંદિરમાં 25 ભક્તોને પ્રવેશ, જલારામ મંદિરમાં 60 ઉપરના અને 10 નીચેનાને પ્રવેશ નહિ

ઝી મીડિયા/બ્યૂરો :અનલોક 1માં આવતીકાલથી રેસ્ટોરન્ટ મંદિર અને મોલ ધમધમશે. સાથે જ આવતીકાલથી ધાર્મિક સ્થળો સરકારની ગાઇડલાન મુજબ મંદિરો ખૂલશે. જેમાં અમદાવાદના ઇસ્કોન મંદિરમાં સરકારની ગાઇડલાનના નિયમો માટે તૈયારી કરાઈ રહી છે. બે મહિનાથી વધુ દિવસથી તમામ મંદિરો બંધ હતા. જેથી ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ ના થાય માટે તે માટે ટોકન આપવામાં આવશે. 25 લોકોને આગળના ગેટથી અને 25 લોકો પાછળના ગેટથી પ્રવેશ આપવામાં આવશે. સાથે જ માસ્ક સેનેટાઇઝર અને ભક્તોના શરીરનું તાપમાન પણ માપવામાં આવશે. ત્યાર બાદ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે. સાથે જ મંદિરમાં બેરીકેટ દોરી બાંધી કરવામાં આવી છે, જેથી ભક્તો ભગવાનની નજીક ન જઇ શકે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ માટે રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. તો મંદિરમાં આવતીકાલથી ખીચડીનો પ્રસાદ આપવામાં નહિ આવે. કોરોના સંક્રમન ના વધે નહી તેવી તકેદારી પણ મંદિરોમાં રખાશે.

ગુજરાતમાં આવતીકાલથી ખૂલશે હોટલ-રેસ્ટોરા, મોલમાં 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત 

15મીથૂ ખૂલશે જલારામ મંદિર 
વીરપુરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિરના ભક્તોને હજુ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર 15 તારીખથી દર્શન માટે ખુલશે. મંદિરમાં ચુસ્તપણે સરકારની ગાઈડલાઈનનું પાલન કરાશે. સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. 60 વર્ષ ઉપર અને 10 ની નીચેના લોકોને મદિરમાં પ્રવેશ નહિ મળે. તેમ કોઈ પણ જાતનો પ્રસાદ સાથે મદિરમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. સરકારની આગલી ગાઈડ લાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ રહેશે. લોકોએ પોતાના બૂટ, ચપ્પલ, મોબાઈલ વગેરે વસ્તુ મદિરની બહાર મૂકીને આવવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news