21 day lockdown News

નિરાશાજનક સમાચાર : MLA ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Apr 23,2020, 21:03 PM IST
અમિત ચાવડાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, સોનિયા ગાંધીએ ઈમરાન ખેડાવાલાના ખબરઅંતર પૂછ્યા
Apr 18,2020, 16:03 PM IST
માનવામાં ન આવે તેવુ કોરોના વાયરસનું કનેક્શન ચામાચીડિયા બાદ કૂતરા સાથે નીકળ્યું
Apr 16,2020, 15:49 PM IST
20મી એપ્રિલ બાદ ગુજરાતમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ મળી, પણ આ શરતો સાથે...
20 એપ્રિલ બાદ મળનારી છૂટછાટો અંગે રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમાર દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલ પછી કઈ કઈ બાબતોને છૂટછાટ મળશે. તેમજ સરકાર દ્વારા મળનારી આ છૂટછાટોમાં કેવા પ્રકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામા આવશે. 20મી એપ્રિલ બાદ ઉદ્યોગો અને કંપનીઓને છૂટછાટ મામલે કહ્યું કે, ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અધ્યક્ષ તરીકે કલેકટર જીઆઇડીસીના વડા વિભાગના અધિકારી આરોગ્યમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંબંધિત જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે રહેશે. ઉદ્યોગો શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. ઉદ્યોગો ઉત્પાદન શરૂ કરે તેને કમિટી નક્કી કરશે. પરંતુ કેટલીક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. ઉદ્યોગોને મળતી છૂટ સાથે કેટલીક બાબતો એવી પણ જાહેર કરાઈ કે, 20મી એપ્રિલે ઉદ્યોગો શરૂ કરવા માટે અમુક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. 
Apr 16,2020, 14:52 PM IST
મોટી સફળતા : ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધી નાંખ્યું કોરોનાનું જીનોમ, સરકારે કરી જાહેરાત
Apr 16,2020, 11:57 AM IST
વડોદરાની પોળોમાં કોરોના પહોંચ્યો, મંત્રી યોગેશ પટેલના ભાભીને લાગ્યો ચેપ
અમદાવાદ બાદ વડોદરામાં કોરોના (corona virus) કહેર વધી રહ્યો છે. આજે વડોદરામાં વધુ 8 કેસ પોઝિટિવ આવ્યા છે. 7 શહેર માં અને એક ડભોઈ તાલુકાનો તેમાં સમાવેશ થાય છે. આ સાથે જ વડોદરા (vadodara) મા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 133 થઈ ગઈ છે. આ સાથે જ નવાપુરા અને વાડી વિસ્તારમાં પહેલીવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. 4 નાગરવાડા, 1 વાડી, 1 સલાવાડા, 1 નવાપુરા અને 1 ડભોઇ નો કેસ છે. તો બીજી તરફ, વડોદરાના પોળ વિસ્તારમાં પણ કોરોના પહોંચી ગયો છે. અમદાવાદી પોળની લેઉઆ શેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલની ભાભીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ જ અમદાવાદી પોળમાં યોગેશ પટેલ પણ રહે છે. અમદાવાદી પોળને તંત્રએ પતરા લગાવી સીલ કરી દીધી છે. 
Apr 16,2020, 9:34 AM IST
વડોદરાનું નાગરવાડા કોરોનાના જીવતા બોમ્બ જેવું બન્યું, 80% કેસ આ જ વિસ્તારના
અમદાવાદ વડોદરા (vadodara) કોરોનાનું હોટસ્પોટ છે. હાલ વડોદરામાં કોરોના (corona virus) ના પોઝિટિવ કેસનો આંકડો 116 પર પહોંચી ગયો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, વડોદરાના 80 ટકા કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. બાકીના 20 ટકા કેસોમાં અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં છૂટક છૂટક કેસો આવી રહ્યાં છે. કુલ 98 કેસ નાગરવાડા વિસ્તારના છે. આજે વડોદરામાં કોરોના ના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 નાગરવાડા, 1 કારેલીબાગ, 1 સલાટવાડા અને 1 રાવપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સલાટવાડામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. તો નાગરવાડામાં ફરી નવા કેસ આવ્યા છે. 9 વર્ષના બાળકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
Apr 15,2020, 16:07 PM IST
સચિવ અશ્વિની કુમારનો ખુલાસો, CM અને ઈમરાન ખેડાવાલા વચ્ચે 15થી 20 ફૂટનું અંતર હતું
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનું તંત્ર દોડતું થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સીએમઓના સચિવ અશ્ચિનીકુમારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ કોટ વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસ્થાને જે મીટીંગ થાય છે તેમાં સોશિયલ ડેસ્ટિનેશનનું પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું. જોકે, રાજ્યના ડોક્ટરોની પેનલ દ્વારા સાથે મુખ્યમંત્રી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે. આજે સાંજે ચાર વાગ્યે તેઓ વીડિયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક હાજરી આપશે. પરંતુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, આજે સાંજે 4:00 વાગ્યાી કેબિનેટની બેઠક કેન્દ્ર સરકાર દ્વારા ૨૦મી એપ્રિલ પછી તબક્કાવાર લોકડાઉનમાંથી ધીમે ધીમે છૂટછાટ આપી તેની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પર ચર્ચા વિચારણા કરાશે.
Apr 15,2020, 15:06 PM IST
CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં
Apr 15,2020, 13:41 PM IST
કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી કોરોના (corona virus) ના સતત નવા ચોંકાવનારા અપડેટ સામે આવી રહ્યાં છે. ગઈકાલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા હતા. જેના બાદ આજે વધુ એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ત્રણ નેતાઓનો કોરોના કેસ પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટની સાથે રાજકીય ખેમામાં ફફડાટ ફેલાયો છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, કાલુપુરના એક જ પરિવારના 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 42 કેસ નોંધાયા છે. 
Apr 15,2020, 13:21 PM IST

Trending news