World Cup 2019: ધવન બહાર થવા પર નિરાશ છે ગૌતમ ગંભીર, કર્યું ભાવુક ટ્વીટ

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આઈસીસી વિશ્વ કપ-2019માંથી બહાર થઈ ગયો છે. 

World Cup 2019: ધવન બહાર થવા પર નિરાશ છે ગૌતમ ગંભીર, કર્યું ભાવુક ટ્વીટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આઈસીસી વિશ્વ કપ-2019થી બહાર થી ગયો છે. તેના અંગૂઠામાં ઈજા છે. સ્ટાર બેટ્સમેન બહાર થવા પર ક્રિકેટ ફેન્સ અને પૂર્વ ક્રિકેટરોમાં નિરાશાનો માહોલ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે આ સંબંધમાં ભાવુક ટ્વીટ કર્યું છે. 

ક્રિકેટથી રાજનીતિમાં આવેલા સાંસદ ગંભીરે ટ્વીટર પર લખ્યું છે, 'તે જાણીને નિરાશા થઈ કે શિખર ધવન હવે વિશ્વકપમાં રમી શકશે નહીં. મારી સહાનુભૂતિ તારી સાથે છે ભાઈ, પરંતુ ચિંતા ન કરો, દુનિયા અહીં પૂરી થતી નથી. રિષભ પંત માટે શુભકામનાઓ. મારો આગ્રહ છે કે આપણે રિષભ પર કોઈ વધારાનો દબાવ ન નાખીએ.'

— Gautam Gambhir (@GautamGambhir) June 19, 2019

ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં અંગૂઠામાં ઈજા થઈ હતી. આ કારણે તે પાકિસ્તાન વિરુદ્ધ બહાર રહ્યો હતો. 

ભારતીય ટીમના સહાયક કોચ સંજય બાંગર સહિત કેપ્ટન વિરાટ કોહલીએ તે વાતની આશા વ્યક્ત કરી હતી કે ધવન સેમીફાઇનલ પહેલા ફિટ થઈ જશે. તેણે કહ્યું, તે નથી ઈચ્છતા કે ધવન ટીમની બહાર જાય. પરંતુ ઈજાએ ધવનને બહાર કરી દીધો છે. 

યુવા રિષભ પંત પહેલાથી જ ઈંગ્લેન્ડમાં ટીમની સાથે છે. ધવનના સ્થાન પર પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news