સૂર્ય ગ્રહણ પર આ વખતે કંઈક મોટું થવાનું છે! ખાસ સાચવજો આ પાંચ રાશિવાળા

Surya Grahan 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણમાં કંઈક મોટું થશે શકે છે. કારણકે, ગ્રહોની ચાલ સતત બદલાઈ રહી છે. તેની અસર વિવિધ રાશિના જાતકો પર પણ પડશે.

સૂર્ય ગ્રહણ પર આ વખતે કંઈક મોટું થવાનું છે! ખાસ સાચવજો આ પાંચ રાશિવાળા

Surya Grahan 2024 Negative Effect: જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યું છે, જે 5 રાશિના લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સૂર્ય ગ્રહણમાં આ પાંચ રાશિઓ પર આવી શકે છે આફત! સૂર્ય દેવતા થઈ શકે છે કોપાયમાન. 

ભારતમાં સૂર્યગ્રહણની તારીખ અને સમય-
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં 2જી ઓક્ટોબરે રાત્રે 09:13 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 03:17 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે આ સૂર્યગ્રહણ લગભગ 6 કલાક સુધી ચાલશે. જાણો કઈ 5 રાશિઓ માટે આ સૂર્યગ્રહણ અશુભ છે.

સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે? 
પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ. આ પરિભ્રમણમાં ચંદ્ર કયારેક પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શક્તો નથી અથવા તે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. પૃથ્વી પર આ પડછાયો જેટલા વિસ્તારમાં પડે ત્યાં સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. તેને ખગ્રાસ ગ્રહણ કહે છે.

મેષ-
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મેષ રાશિના જાતકો માટે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ લવ લાઈફમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. લવબર્ડ્સે સાવધાન રહેવું જોઈએ, નહીંતર બ્રેકઅપ થઈ શકે છે. સાથે જ પરિણીત લોકો માટે પણ સમય અશુભ છે. કાર્યસ્થળ પર તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીંતર તમારી નોકરીમાં મુશ્કેલી આવી શકે છે.

મિથુન-
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મિથુન રાશિના લોકો પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર પડશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. યોગ્ય આહારની આદતો જાળવવી વધુ સારું છે. વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે. રોકાણ માટે સમય સારો નથી. આર્થિક નુકસાન થઈ શકે છે.

કર્ક-
કર્ક રાશિવાળા લોકો માટે સૂર્યગ્રહણ અશુભ પરિણામ આપશે. આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. પૈસા ક્યાંક અટવાઈ શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કાર્ય પૂર્ણ થવામાં અવરોધો આવશે. પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે.

સિંહ-
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, સૂર્યગ્રહણ સિંહ રાશિના લોકોના અંગત અને વ્યાવસાયિક જીવનમાં પરેશાનીઓનું કારણ બની શકે છે. તમારા જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદવા માટે આ સારો સમય નથી. છેતરપિંડી થવાની સંભાવના છે. તમે લોભનો ભોગ બની શકો છો અને છેતરપિંડીનો શિકાર બની શકો છો.

મીન-
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મીન રાશિના લોકો માટે સૂર્યગ્રહણ નકારાત્મક પરિણામ આપશે. ઘરમાં વિવાદ થઈ શકે છે. આ સમયે તમારે તમારા સંબંધોનું ધ્યાન રાખવાની જરૂર છે. પૈસાની લેવડ-દેવડ યોગ્ય રીતે કરો. વેપારમાં મંદી આવી શકે છે.

(Disclamer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે, ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news