શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો: કિનારાના ગામડા એલર્ટ પર, નદી બે કાંઠે વહી રહી છે

જિલ્લાના પાલિતાણામાં આવેલ શહેરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ સતત ત્રીજીવાર ઓવરફ્લો થયો છે, ડેમ ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શેત્રુંજી ડેમ મહત્તમ સપાટી 34 ફૂટ છે. જે ઉપરવાસની આવકના પગલે તારીખ 21 ઓગસ્ટના દિવસે પ્રથમ વખત છલકાયો હતો. 
શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો: કિનારાના ગામડા એલર્ટ પર, નદી બે કાંઠે વહી રહી છે

ભાવનગર: જિલ્લાના પાલિતાણામાં આવેલ શહેરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ સતત ત્રીજીવાર ઓવરફ્લો થયો છે, ડેમ ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શેત્રુંજી ડેમ મહત્તમ સપાટી 34 ફૂટ છે. જે ઉપરવાસની આવકના પગલે તારીખ 21 ઓગસ્ટના દિવસે પ્રથમ વખત છલકાયો હતો. 

જ્યારે 27 ઓગસ્ટના બીજી વાર અને 30 ઓગસ્ટના ત્રીજીવાર ઓવરફ્લો થયો છે. છેલ્લે 2015 માં શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા હતા. જ્યારે પાંચ વર્ષ બાદ 2020માં આજે ફરી ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 25 કિલોમીટરમાં ફેલાયેલો છે. જેમાં 308.68 મિલિયન ઘન મીટર પાણીની સંગ્રહ ક્ષમતા છે. માત્ર પીવા માટે ઉપયોગમાં લેવાય તો 4 વર્ષ ચાલે એટલું પાણી એકત્રિત થાય છે, પરંતુ હાલ પીવા અને સિંચાઈ બંને માટે ઉપયોગમાં લેવાતું હોવાથી એક વર્ષ ચાલે એટલા પાણીનો સંગ્રહ હાલ થઈ જતા પીવા અને સિંચાઇની સમસ્યા હલ થઈ ગઈ છે.

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમના 59 દરવાજા ખોલી દેવામાં આવતા ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર પંથકમાંથી જ્યાં જ્યાં નદી પસાર થાય છે તે કિનારાના ગામડાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શેત્રુંજી નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news