સુરતને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવવા PM મોદીએ આપ્યો 4-P નો મંત્ર! જાણો સુરતને મળી કઈ સોગાત

સુરતને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવવા PM મોદીએ આપ્યો 4-P નો મંત્ર! જાણો સુરતને મળી કઈ સોગાત

ચેતન પટેલ, સુરતઃ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતમાં ભવ્ય રોડ શો કર્યો. અને આ સાથે જ તેમણે વિશાળ જનમેદનીને પણ સંબોધન કર્યું. જેમાં સુરતને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવવા માટે પીએમ મોદીએ સુરતીલાલાઓને આપ્યો 4-P નો મંત્ર. પીએમ મોદીએ કહ્યુંકે, આ સદીના શરૂઆતી દશકાઓમાં જ્યારે 3-P એટલેકે, Public Private Partnership ની ચર્ચા થતી હતી, ત્યારે હું કહેતો હતોકે, સુરત 4-Pનું ઉદાહરણ છે. 4-P એટલે People, Public, Private Partnership. આ જ મોડલ સુરતની વિશેષતાઓને દર્શાવે છે.

આજે પીએમ મોદીએ સુરતમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપી. આ ઉપરાંત સુરતમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો. રોડ શોના રૂટને ભગવા રંગથી શણગારાયો હતો. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ સભાને સંબોધન કર્યું. જાણો પીએમ મોદીએ નવરાત્રિ ટાણે સુરતને કઈ-કઈ સોગાતો ભેટ સ્વરૂપે આપી...

પીએમ મોદીએ સુરતમાં કયા-કયા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું?

  • ડ્રીમ સિટી પ્રોજેક્ટના રૂા.370 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • રૂા.139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક
  • રૂા.324.66 કરોડના ખર્ચની ચાર જેટલી પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનના કાર્યનું ખાતમુહુર્ત
  • સિવિલ હોસ્પિટલમાં123.47 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે
  • રૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • રૂા.52 લાખના ખર્ચે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’નું લોકાર્પણ થશે
  • રૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • સ્મીમેરના G-H બ્લોક, મેડિકલ કોલેજના A-B બ્લોક મોટા કરાશે
  • સ્મીમેરમાં રોજ 3500 દર્દી આવે છે, વર્ષે 200 અન્ડર ગ્રેજ્યુએટ અને 123 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય છે. જેથી પાલિકાએ 13.47 કરોડના ખર્ચે G-H બ્લોક અને કોલેજના A-B બ્લોકના વિસ્તૃતિકરણનું ખાતમુહૂર્ત.

ખોલવડમાં IIITનું લોકાર્પણ, વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળશે
કેન્દ્ર સરકારે કામરેજના ખોલવડ ખાતે 12 કરોડના ખર્ચે નિર્મિત IIIT ( ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ કરાશે. આઈટીના અભ્યાસને વેગ મળશે અને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી રહેશે.
સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે વ્યવસાયિક આદાનપ્રદાન તેમજ મુસાફરોની હેરફેર માટે 70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરીના ટર્મિનલનું લોકાર્પણ કરાશે. બે વર્ષ અગાઉ હજીરાના અદાણી પોર્ટ ટર્મિનલ પર કામચલાઉ ધોરણે રોરો, રોપેક્ષ ફેરી શરૂ કરાઈ હતી. હવે પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા હજીરા ખાતે નવ નિર્મિત ટર્મિનલ પર ફેરી સેવા ઉપલબ્ધ બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news