મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: ભોગ બનેલા 91 લોકોમાંથી 47 મૃતકોના નામની યાદી જાહેર

કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: ભોગ બનેલા 91 લોકોમાંથી 47 મૃતકોના નામની યાદી જાહેર

મોરબી: મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 500 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. જેમાં મોડી સાંજે 91 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 100થી વધ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. 

કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

આ દુર્ઘટનામાં લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવા માટે મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાએથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. હાલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા ૪૭ મૃતકોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકી ૪૭ મૃતકોના નામની યાદી જાહેર

1.સુજલ હરેશભાઈ ચાવડા

2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર

3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા

4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)

5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા

6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા

7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર

8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર

9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ

10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા

11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ

12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ

13.અનિસાબેન આરીફશા સાહમદાર

14.આફ્રીદશા આરીફશા સાહમદાર

15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા

16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી

18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી

19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક

20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર

22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા

23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા

24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી

25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી

26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી

27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી

28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી

29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી

30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧

31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી

32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી

33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી

34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

36.હુસેન દાઉદભાઈ- રાપર

37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી

38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા

39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ

40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ

41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ

42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ

43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ

44.મનસુખભાઈ છત્રોલા

45.નૈતિક મહેશભાઈ સોઢીયા

46.ભૂમિકાબેન રાયધનભાઈ

47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news