વુહાનમાં ફરી સામે આવ્યા કોરોનાના નવા કેસ, ચોંકાવનારા છે લક્ષણો; લોકોમાં ફરી ફેલાયો ભય

કોરોના વાઈરસ (Coronavirus)ના નવા કેસ સામે આવ્યા બાદ ચીન વુહાન (Wuhan)ની સંપૂર્ણ આબાદીનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે, જેના કારણે લોકોને ફરીથી સંક્રમિત થવાનો ભય છે. વુહાનની વસ્તી 1.1 કરોડ છે. અહીં ભૂતકાળમાં કોરોનાના પાંચ દર્દીઓ મળી આવ્યા હતા. જે બાદ ચીનની સરકારે દરેક નાગરિકનો ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો. સૌ પ્રથમ, તેમની તપાસ કરવામાં આવે છે, જે લોકોનું જોખમ સૌથી વધુ છે. એટલે કે સ્વાસ્થ્ય કાર્યકરો. ચીનની યોજના તમામ ટેસ્ટિંગ ફક્ત 10 દિવસમાં પૂર્ણ કરવાની છે, તેથી મોટી સંખ્યામાં લોકોને પરીક્ષણ કેન્દ્રોમાં લાવવામાં આવી રહ્યા છે.

વુહાનમાં ફરી સામે આવ્યા કોરોનાના નવા કેસ, ચોંકાવનારા છે લક્ષણો; લોકોમાં ફરી ફેલાયો ભય

બેઇજિંગ: કોરોના વાઈરસ (Coronavirus)ના નવા કેસ સામે આવ્યા બાદ ચીન વુહાન (Wuhan)ની સંપૂર્ણ આબાદીનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે, જેના કારણે લોકોને ફરીથી સંક્રમિત થવાનો ભય છે. વુહાનની વસ્તી 1.1 કરોડ છે. અહીં ભૂતકાળમાં કોરોનાના પાંચ દર્દીઓ મળી આવ્યા હતા. જે બાદ ચીનની સરકારે દરેક નાગરિકનો ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો. સૌ પ્રથમ, તેમની તપાસ કરવામાં આવે છે, જે લોકોનું જોખમ સૌથી વધુ છે. એટલે કે સ્વાસ્થ્ય કાર્યકરો. ચીનની યોજના તમામ ટેસ્ટિંગ ફક્ત 10 દિવસમાં પૂર્ણ કરવાની છે, તેથી મોટી સંખ્યામાં લોકોને પરીક્ષણ કેન્દ્રોમાં લાવવામાં આવી રહ્યા છે.

મોટાભાગના વુહાનને આ વાતને લઇને આશંકા છે કે ટેસ્ટિંગના કારણે તેઓ ફરીથી કોરોનાના સંક્રમણમાં ન આવી જાય. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકોએ કહ્યું કે તેઓ સરકારના આ અભિયાનને સમર્થન આપે છે, પરંતુ તેઓને ફરીથી સંક્રમિત થવાનો ભય છે. ઉલ્લેખનીય છે કે, 8 મી એપ્રિલના રોજ લોકડાઉનમાંથી મુક્ત થયા બાદ વુહાનના સ્વાસ્થ્ય અધિકારીઓ ત્યારે હરકતમાં આવ્યા જ્યારે સંક્રમણના પાંચ નવા કેસ નોંધાયા હતા.

ચીન માટે સમસ્યાની વાત એ છે કે, નવા દર્દીઓમાં કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા, પરંતુ જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેને ધ્યાનમાં રાખીને સરકારે વુહાનની સમગ્ર આબાદીની તપાસ કરવાનું નક્કી કર્યું છે. જેથી સંક્રમણ અનિયંત્રિત થાય તે પહેલાં તેને નિયંત્રિત કરી શકાય. વુહાનના રહેવાસીએ કહ્યું, 'પરીક્ષણ માટે લોકોને એક સ્થળે એકઠા કરવામાં આવે છે, તેથી એકથી બીજા સંક્રમણ થવાનું જોખમ રહેશે'.

કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, ટેસ્ટનું અભૂતપૂર્વ સ્તર સરકારની ચિંતા બતાવે છે. ત્યારે કેટલાકની દ્રષ્ટિએ, તે ખૂબ જ ખર્ચાળ કસરત છે અને તેની અસરકારકતા પણ શંકાસ્પદ છે. અસરગ્રસ્ત કોરોના વિશે વાત કરતા, ચીને શુક્રવાર સુધીમાં કોવિડ -19 ના 82,941 કેસો અને 4,633 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news