Queen Elizabeth-II: બાલ્મોરલ કેસલથી નિકળ્યું દિવંગત મહારાણી એલિઝાબેથનું તાબૂત, 19ના થશે અંતિમ સંસ્કાર

Elizabeth Death: દિવંગત મહારાણી એલિઝાબેથના 19 સપ્ટેમ્બરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે રવિવારે તેમનું તાબૂત બાલ્મોરલ કેસલથી નિકળી ચુક્યું છે. 6 કલાકની યાત્રા કરી તે સ્કોટલેન્ડની રાજધાની પહોંચશે. 

Queen Elizabeth-II: બાલ્મોરલ કેસલથી નિકળ્યું દિવંગત મહારાણી એલિઝાબેથનું તાબૂત, 19ના થશે અંતિમ સંસ્કાર

લંડનઃ Queen Elizbeth-II Funeral: બ્રિટનના મહારાણી એલિઝાબેથનું ગુરૂવારે નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર બાદ બ્રિટનમાં શોકનો માહોલ છે. ભારતમાં એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપતા એક દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે. તો આજે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પાર્થિવ શરીરને બાલ્મોરલ કેસલ  (Balmoral Castle) થી સ્કોટલેન્ડની રાજધાની એડિનબરા લઈ જવામાં આવી રહ્યું છે. 

દિવંહત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના તાબૂતને લઈને એક રથ રવિવારે બાલ્મોરલ કેસલથી નિકળ્યો છે દિવંગત મહારાણીનું તાબૂત એડિનબરા માટે છ કલાકની રોડ યાત્રા કરશે. 19 સપ્ટેમ્બરે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

19 સપ્ટેમ્બરે મહારાણી એલિઝાબેથના નિધન બાદ સત્તાવાર 10 દિવસના શોકની અવધિ સમાપ્ત થશે. અંતિમ સંસ્કાર સવારે 11 કકલાકે બેસ્ટમિંસ્ટર એબ્બેમં થશે. અંતિમ સંસ્કારના દિવસે બેન્કમાં રજા રહેશે. કિંગ ચાર્લ્સ તૃતીય (King Charles III) એ સેન્ટ જેમ્સ પેલેસમાં પ્રિવી કાઉન્સિલની સાથે પોતાની પ્રથમ બેઠક દરમિયાન જાહેર રજાની પુષ્ટિ કરી હતી. 

(Source: Reuters) pic.twitter.com/nYOtgpGeAW

— ANI (@ANI) September 11, 2022

કિંગ ચાર્લ્સ તૃતીય બન્યા બ્રિટનના નવા સમ્રામ
કિંગ ચાર્લ્સ તૃતીયને બ્રિટનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. મહારાજા ચાર્લ્સ તૃતીયે શનિવારે કહ્યું કે તે પોતાની મહાન ધરોહર અને કર્તવ્યો અને સંપ્રભુતાની ભારે જવાબદારીઓ વિશે ઉંડાણથી સમજે છે. પોતાના, માતા દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પ્રેરક ઉદાહરણનું અનુસરણ કરવાનો પ્રયાસ કરશે. સેન્ટ જેમ્સ પેલેસમાં પોતાની જાહેરાતમાં તેમણે પોતાના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપી હતી. 

મારા માતાનો શાસન કાળ સમર્પણથી ભરેલો હતો
બ્રિટનના નવા રાજાએ કહ્યુ- મારા માતાનો શાસન કાળ સમર્પણની સાથે અતુલનીય હતો. જ્યારે પણ અમે શોક મનાવીએ, અમે આ સૌથી વફાદાર જીવન માટે ધન્યવાદ આપીએ છીએ. મહારાણીએ ખુદ જે સમર્પણ સાથે કામ કર્યું ઈશ્વર મને બંધારણીય સિદ્ધાંતોને આપણા રાષ્ટ્રના હિતમાં યથાવત રાખવાની શક્તિ આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news