ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? જાણો શું છે ભવિષ્યવાણી

Baba Vanga 2024 predictions: બુલ્ગારિયાના બાબા વેંગાએ ઘણી એવી ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડવાનો દાવો કરવામાં આવે છે. 2024ને લઈને તેમણે ભવિષ્યવાણી કરી હતી, જેનો માહોલ અત્યારથી દેખાઈ રહ્યો છે. 

ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? જાણો શું છે ભવિષ્યવાણી

Scary prediction of 2024: બુલ્ગારિયાના રહસ્યવાદી ભવિષ્યદાતા બાબા વેંગાનું નિધન 27 વર્ષ પહેલા થઈ ગયું હતું પરંતુ તેમની ભવિષ્યવાણીઓ આજે સાચી પડી રહી છે. વર્ષ 2024 વિશે તેમના દ્વારા કરેલી ભવિષ્યવાણી આજે પણ લોકોને ચોંકાવી રહી છે. તેમણે જે રીતે વાતો કહી હતી, તે પ્રકારનો માહોલ દુનિયામાં બની રહ્યો છે. નોંધનીય છે કે બાબા વેંગા દ્રષ્ટિહિન હતા અને કહેવામાં આવે છે કે તેમની ઘણી ભવિષ્યવાણી સાચી પડી ચુકી છે. બાબા વેંગા બુલ્ગારિયાના રહેવાસી હતા અને તેમને બાલ્કનના નાસ્ત્રેદમસના નામથી ઓળખવામાં આવે છે. તેમણે 9/11 ના આતંકી હુમલા, રાજકુમારી ડાયનાનું મોત અને બ્રેક્ઝિટ વિશે ભવિષ્યવાણી કરી હતી. 

2024 વિશે શું છે ભવિષ્યવાણી
બાબા વેંગાએ 2024ને લઈને ઘણી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ થશે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિન ન માત્ર વિદેશી તાકાતો પરંતુ પોતાના ઘરમાં પણ વિરોધનો સામનો કરી રહ્યાં છે. આ સિવાય બાબા વેંગાએ કહ્યું હતું કે પૃથ્વી પોતાની કક્ષામાં પરિવર્તન કરશે, જેનાથી પ્રાકૃતિક આપદાઓ આવશે. તેમણે કહ્યું હતું કે 2024માં કેન્સરની સારવારની શોધમાં મદદ મળશે. 

બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે 2024માં રાષ્ટ્રપતિ પુતિનની હત્યા તેમના દેશનો કોઈ વ્યક્તિ કરી દેશે. આ સિવાય તેમણે કહ્યું હતું કે યુરોપમાં અરાજકતા ફેલાશે અને આતંકવાદી હુમલા થશે. બાબા વેંગાએ આર્થિક સંકટની પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે તેના કારણે અર્થવ્યવસ્થાનું કેન્દ્ર પશ્ચિમથી પૂર્વ તરફ શિફ્ટ થઈ શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણીમાં સાઇબર ક્રાઇમનો પણ ઉલ્લેખ હતો. આ સિવાય તેમણે કહ્યું કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર મોટો હુમલો થશે, જેનાથી સુરક્ષાનો પડકાર ઊભો થશે. 

તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્ય અને તકનીક ક્ષેત્રમાં વિકાસ થશે અને કેન્સર જેવી બીમારીની સારવાર પણ મળશે. આ સિવાય ક્વાંટમ કમ્પ્યૂટિંગના ક્ષેત્રમાં પ્રગતિ થશે. નોંધનીય છે કે બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે, ટોર્નેડોમાં પડ્યા પછી તેણે તેની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જ્યારે તેઓ મળ્યા તો ભવિષ્યવાણી કરવા લાગ્યા હતા. 

ઝી 24 કલાક બાબા વેંગાના દાવાની પુષ્ટિ કરતું નથી કારણ કે ઘણઈ વાતોનું કોઈ પ્રમાણ નથી કે આ વાત તેમણે કહી હતી કે બાદમાં લોકોએ પોતાના મનથી પ્રચારિત કરી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news