નારેશ્વરમાં બે યુવાનોના ડુબી જવાથી મૃત્યુ

પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર (Nareshwar) ખાતે વહી રહેલા નર્મદા (Narmada) નદીમાં 5 મિત્રો ન્હાવા માટે ગયા હતા. જેમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. તો સ્થાનિક લોકો ત્રણ યુવકોને બચાવવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી 2 યુવાનોના મૃતદેહો નદીમાં બહાર કાઢ્યા હતા. તમામ યુવકો તરસાલીના કોસંબાના વતની છે. જેઓ વેકેશન હોવાને કારણે નારેશ્વર મંદિર ગયા હતા, અને ત્યાર બાદ નદીમાં ન્હાવા માટે ગયા હતા.

Trending news