શેરી મહોલ્લાની ખબર: અમદાવાદમાં પુનિતનગરમાં રેલવે ફાટક રહિશો માટે બન્યો મુસીબત

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલુ પુનિતનગર રેલ્વે ક્રોસિંગ હજ્જારો લોકો માટે મુસિબતનુ કારણ બન્યુ છે. અમદાવાદ-દિલ્હી જેવા સૌથી વ્યસ્ત રેલ રૂટ પર આવેલુ 307 નંબરનુ આ રેલ્વે ક્રોસિંગ વિવાદમાં આવ્યુ છે. કારણ કે 9 મહીના પહેલા આ ક્રોસિંગને રેલ્વે વિભાગે પહોળુ તો કરી દેવાયુ. પરંતુ હજી સુધી તેને ઉપયોગ માટે ખુલ્લુ નથી મુકાયુ. પરીણામે આ રેલ ક્રોસિંગનો ઉપયોગ કરતા તમામ લોકોને જુની જગ્યા માંથી જ પસાર થવાની ફરજ પડે છે. પરીણામે દૈનિક પસાર થતી સેંકડો ટ્રેનોના કારણે લોકોને ટ્રાફીક જામની ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

Trending news