हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકડાઉનનો 56મો દિવસ
લોકડાઉનનો 56મો દિવસ News
Coronavirus
પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી
લોકડાઉનમાંથી રાહત મળતા જ ગુજરાતવાસીઓ મુક્ત બન્યા હતા. આજે ગુજરાતમાં જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું, રસ્તા પર ટ્રાફિક જામ થયો, દુકાનોમાં ભીડ ઉમટી વગેરે જેવા સમાચાર સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં સતત આવી રહ્યાં છે. પરંતુ આજે ગુજરાતમાં જેટલી ભીડ કરિયાણા અને અન્ય દુકાનો પર ન જોવા મળી, તેટલી ભીડ પાન-મસાલાના ગલ્લા પર જોવા મળી હતી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લોકડાઉન ખૂલતા જ પાન-મસાલાના શોખીનો વહેલી સવારે દુકાન પર પહોંચી ગયા હતા અને લાઈન લગાવીને પાન-મસાલા ખરીદતા જોવા મળ્યા હતા. ત્યારે જોઈ લો, કે પાન-મસાલા તમ્બાકુ ખરીદવા માટે ક્યાં કેવી ભીડ જામી હતી.
May 19,2020, 15:58 PM IST
Coronavirus
બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર
કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.
May 19,2020, 15:25 PM IST
Coronavirus
મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી
નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અહી કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે (Nitin Patel) તેનું નિરીક્ષણ કર્યું હતું. યુ.એન.મહેતામાં કોરોનાના 270 જેટલા દર્દીઓની સારવાર કરી શકાય તેવી સગવડ સાથે હોસ્પિટલ શરૂ કરાશે. બીજા, ત્રીજા અને ચોથા માળે કોરોનાના દર્દીઓ માટે યુ.એન.મહેતામાં વ્યવસ્થા કરાશે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દર્દીઓનું સંખ્યા વધશે એવું અનુમાન અમે આ બિલ્ડીંગમાં ઉપયોગમાં લીધી છે. શરૂઆતમાં જ અમે વહીવટી તંત્રને સાથે રાખી આફત ઓળખી લીધી. દર્દીઓ વધે તો સારી સારવાર થાય તે માટે કોવિડ હોસ્પિટલ નોટિફાય કરી છે. હાલ 1200 બેડ હોસ્પિટલ શરૂ છે, તમામ સાધન સામગ્રીમાં ફેરફાર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ SVPને પણ કોવિડ માટે સુસજ્જ બનાવી છે. માત્ર બે મહિનામાં જ સરકારે અને amc એ ઝડપથી નિર્ણય કરી 1200 બેડ અને svpમાં 2000 બેડની સુવિધા શરૂ કરી છે.
May 19,2020, 13:54 PM IST
Coronavirus
રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ
રાજ્ય સરકારની છૂટછાંટ અંગેની જાહેરાત બાદ આજે રંગીલા રાજકોટ (rajkot) માં બે મહિના બાદ રોનક જોવા મળી. રાજકોટમાં બે મહિના બાદ તમામ માર્કેટોમાં રોનક જોવા મળી. બે મહિના બાદ આજે તમામ નાના-મોટા વ્યસાયો શરૂ થયા. કપડાંના બજાર ખૂલતા લોકો નવા કપડાં લેવા પણ પહોંચ્યા. એક તરફ લગ્ન પ્રસંગનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પ્રસંમાં નવા કપડાં ખરીદવા સવારથીજ કપડાંની દુકાનોમાં લોકો જોવા મળ્યા. પહોંચ્યા. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ દુકાનમાં ગ્રાહકોએ નવા કપડાંની ખરીદી કરી હતી. 2 મહિના બાદ દુકાન ખૂલતા વેપારી અને ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી.
May 19,2020, 13:17 PM IST
Coronavirus
નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શક
લોકડાઉન 4 ના પગલે અમદાવાદમાં સુધારા સાથે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશના આધારે પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. જેના મુજબ, અમદાવાદ (Ahmedabad)ના પશ્ચિમ વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવા મંજૂરી અપાઈ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય ધંધા રોજગાર 8 થી 4 દરમિયાન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુ ધંધા-રોજગારને મંજૂરી આપવામાં આવી નથી. પૂર્વ વિસ્તારમાં કોરોના વધુ કેસને પગલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયનું અમદાવાદ પોલીસ ચુસ્તપણે પાલન કરાવશે. અમદાવાદ પશ્ચિમમાં ધંધા રોજગાર કે દુકાન માલિકોને એકી સંખ્યા અને બેકી સંખ્યા પ્રમાણે ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખોલી શકાશે. તો પશ્ચિમ વિસ્તારમાં હેર કટિંગ સલૂન વાહનોના સર્વિસ સ્ટેશન અને ગેરેજ ખોલવા માટે મંજૂરી અપાઈ છે. તો જાહેરનામામાં સ્પષ્ટપણે કહેવાયં છે કે, સાંજે 7 થી સવારના 7 સુધી પોલીસ અમદાવાદમાં લોકડાઉનનો કડકપણ પાલન કરાવશે.
May 19,2020, 14:43 PM IST
Coronavirus
લોકડાઉનમા રાહત મળતા જ ગુજરાતમાં પાટનગર ફરી ધમધમતું થયું, સચિવાલય જતા રોડ પર ટ્રાફિક
રાજ્યનું પાટનગર ગાંધીનગર પુનઃ ધમધમતું થયું છે. સચિવાલય જતા રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલો પણ ચાલુ કરવા પડ્યા એટલો ટ્રાફિક રોડ ઉપર આવી ગયો છે. ગાંધીનગર નું સૌથી જૂનું અને જાણીતું માર્કેટ મીના બજાર ખુલતા કર્મચારીઓ અને ખરીદી કરવા આવનારા લોકોની ભીડ જામેલી જોવા મળી. તો બીજી તરફ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલ કરીને વેપારીઓ વેપાર ધંધો કરી રહ્યા છે. આ સાથે ગ્રાહકો પણ સપોર્ટ આપી રહ્યાં છે. ગ્રાહકો માસ્ક પહેરીને ખરીદી કરવા નીકળેલા જોવા મળ્યા હતા.
May 19,2020, 11:17 AM IST
Coronavirus
વડોદરાવાસીઓને હવે સમોસા-ભજીયા-ખમણ ખાવા મળશે, જુઓ લોકડાઉન ખૂલ્યા બાદના વડોદરાના Photo
લોકડાઉન (Lockdown 4) ખૂલતા જ વડોદરામાં પણ જનજીવન સામાન્ય થયું હતું. આજે સવારથી જ વડોદરા (vadodara) શહેરમાં ભારે ચહેલપહેલ જોવા મળી. વડોદરામાં આજે સવારથી જ દુકાનો અને ઓફિસો
May 19,2020, 11:06 AM IST
Coronavirus
56 દિવસ બાદ લોકડાઉન મુક્ત થયેલા અમદાવાદની આ છે તસવીરો, દરેક રસ્તા પર જીવન ધબક્યું
સતત ધબકતુ શહેર અમદાવાદ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. પરંતુ આખરે 60 દિવસ બાદ જાણે અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો હોય તેવુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો શરૂ થઈ હતી. પરંતુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હોવાને કારણે હજી પણ અમદાવાદમાં અનેક દુકાનો અને ઓફિસ ખૂલી નથી. ત્યારે તસવીરોમાં જોઈ લો કે, બે મહિના બાદ ખૂલેલા અમદાવાદમાં કેવો માહોલ છે. લોકોમાં કેવો ઉત્સાહ છે.
May 19,2020, 10:57 AM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો