Tone of protest News

ગુજરાતમાં આપના ચઢાણ હજી ઘણા કપરા છે, આણંદમાં વિરોધનો વિશાળ ભડકો જોવા મળ્યો
પંજાબમાં સરકાર આવવાની ખુશીમાં હાલ ગુજરાત આપમાં પણ ખુબ જ ખુશી જોવા મળી રહી છે. તેવામાં આણંદ જિલ્લામાંથી વધારે એક માઠા સમાચાર આવ્યા હતા. આણંદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના 150 થી વધુ સભ્યોના રાજીનામાં ધરી દીધા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ફેક્સ અને સોશ્યલ મીડિયા માધ્યમથી કેજરીવાલને રાજીનામાં મોકલી દીધા હતા. રાજીનામુ આપનાર કાર્યકરો ચંપલ ફેંકનાર સામે ચંપલ જડો કાર્યક્રમ આપશે અને પાર્ટીના ચોક્કસ નેતાઓનો વિરોધ કરશે. આણંદમાં 14 મીએ તિરંગા યાત્રા યોજી આંદોલન શરૂ કરાશે. પ્રદેશના નેતાઓના કારણે રાજ્યમાં અનેક કાર્યકરો આપ છોડી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ચરોતરમાંથી આપ સભ્યપદ છોડો આંદોલન શરૂ કરવામાં આવશે. 
Mar 12,2022, 23:02 PM IST

Trending news