Iskcon temple News

જન્માષ્ટમીની ઉજવણી, બાલ ગોપાલના સ્વાગતમાં મથુરાથી દ્વારકા સુધી મંદિરોમાં ભક્તોની ભીડ
ઝી મીડિયા બ્યૂરો: Krishna Janmashtami 2021: દેશભરમાં આજે જન્માષ્ટમીની (Janmashtami 2021) ધૂમ છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી આખા દેશમાં કરવામાં આવી રહી છે. મથુરામાં કૃષ્ણોત્સવ પર ભગવાન કૃષ્ણની નગરી સંપૂર્ણ રીતે શણગારવામાં આવી છે. લોકો જન્મસ્થળ પર નંદલાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. મંદિરમાં ભગવાનની મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવી છે. મંદિરોમાં કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભગવાનને કમળના ફૂલ અર્પણ કરવામાં આવી રહ્યા છે. જન્મસ્થળ પર મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. લોકો ભક્તિમાં ભાવુક બન્યા છે. મથુરાથી દ્વારકા સુધી મંદિર શણગારવામાં આવ્યા છે. જુઓ તસવીરો....
Aug 31,2021, 0:44 AM IST

Trending news