Cyclone update News

શું ગુજરાતમાં સારા વરસાદ માટે જોવી પડશે લાંબી રાહ? અંબાલાલની આ આગાહી ભુક્કા બોલાવશે!
Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. રાજ્યમાં આગામી 5થી 7 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર, દમણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. બીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગમાં વાવાઝોડાની આગાહી છે, જ્યારે ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહી કરાઈ છે. ચોથા દિવસે આણંદ, પંચમહાલ, વડોદરા સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. પાંચમા દિવસે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. છઠ્ઠા દિવસે ગુજરાતના મોટાભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
Jun 5,2024, 16:58 PM IST
ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલ પટેલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો..
May 25,2024, 17:17 PM IST
આવી રહ્યું છે 100 કિ.મીની ઝડપે ફરતું 'રેમલ', ફાઈનલ થયો રૂટ; ફરી અંબાલાલે કરી આગાહી
Cyclone Remal West Bengal: પ્રિ-મોન્સૂન સીઝન દરમિયાન બંગાળની ખાડીમાં વારંવાર તોફાનો આવે છે. આ વખતે પણ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ આવશે. પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે. ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ સાથે ટકરાશે. બંગાળની ખાડીમાં હવાનું સર્જાયેલા દબાણ  25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં આ ચક્રવાતની ભારે અસર પડશે.બીજી બાજુ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 26 મેથી 4 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે.
May 25,2024, 15:09 PM IST
'રેમલ' એક- બે નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!
May 25,2024, 12:22 PM IST
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
Jun 4,2020, 8:40 AM IST
દક્ષિણ ગુજરાતમાં નિસર્ગની અસર શરૂ, ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે 8 જિલ્લામાથી કુલ 63,798 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ માહિતી આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી દીધો છે. એક કલાકમા વાવાઝોડું જમીન પર સંપૂર્ણ રીતે આવી જશે. વાવાઝોડાના કેન્દ્ર વિસ્તારમાં 90 થી 100 કિમીની પવનની ઝડપ જોવા મળશે. નવસારી અને વલસાડમાં 3 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અત્યાર સુધી વરસાદ ડાંગમાં 15 mm વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હાલ અમે સમગ્ર જિલ્લાઓના તંત્ર સાથે સંપર્કમાં છીએ. ગુજરાતમા NDRFની 18 જ્યારે SDRF ની 6 ટીમ સ્ટેન્ડ ટુ છે. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ સ્થળાંતર કરાયેલા લોકોને ઘર પર પરત લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં સુવાલીના દરિયા કિનારે 1 થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. ચક્રવાતની સીધી નહિ, પરંતુ આંશિક અસર જોવા મળી છે. 
Jun 3,2020, 15:30 PM IST
LIVE: મુંબઈમાં Nisarga નો ખતરો ઓછો થયો, 50 કિમી દક્ષિણ તરફ વળ્યું વાવાઝોડું
Jun 3,2020, 14:23 PM IST

Trending news