1 માર્ચના સમાચાર News

રાજકોટમાં તરછોડાયેલી અંબાની મુલાકાત લેવા પહોંચ્યા સીએમ રૂપાણી
Mar 1,2020, 16:00 PM IST
ફાસ્ટેગ બંધ થયા બાદ વડોદરા-હાલોલ સ્ટેટ હાઈવે પર ZEE 24 કલાકનું રિયાલિટી ચેક
Mar 1,2020, 15:20 PM IST
વાઘની દહેશત વચ્ચે ઝી 24 કલાકનો ખાસ રિપોર્ટ, 3.5 કિલોમીટર ચાલીને જંગલમાં પહોંચી ટીમ
મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં ઝી 24 કલાકની ટીમ મહીસાગરના કંતાર ગામ પહોંચી... જ્યાંથી સાડા ત્રણ કિલોમીટર ચાલી ઝી 24 કલાકની ટીમ જંગલની અંદર પહોંચી... મહિસાગરના વાઘે એક ભૂંડનું મારણ કર્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે... હાલ જંગલ વિભાગની ટીમ તપાસ કરી રહી છે... જો કે જૈસોલા પંચાયતના સરપંચ અને વન વિભાગ વાઘ હોવા અંગે ઈનકાર કરી રહ્યું છે... ગામલોકોએ ઝી 24 કલાકને જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે... જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Mar 1,2020, 15:15 PM IST
કુપોષિત બાળકોને બચાવવા માટે રાજ્યમાં શરૂ કરાયું નવુ અભિયાન
કુપોષણ આપણા માટે મોટી ચેલેન્જ છે. આ નિવેદન આપ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ.... ગુજરાત કુપોષણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે કુપોષણ સામે લડવા પાલક-વાલી કાર્યક્રમનું આયોજન કર્યું છે. જે અંતર્ગત 145 વાલીઓ કુપોષિત બાળકોને દત્તક લઈને કુપોષિત બાળકોના પાલક વાલીઓ બન્યા છે. સીએમએ પોતાના મતવિસ્તારના કુપોષિત બાળકોના પાલક વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાત હવે ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે. બે વર્ષ સુધી ગુજરાત પોષણ અભિયાન ચલાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીના મતવિસ્તાર વિધાનસભા બેઠક 69માં 145 બાળકો કુપોષિત છે. જે પૈકી 15 બાળકો પોષિત બન્યા છે.
Mar 1,2020, 13:45 PM IST
દારૂ પર પ્રતિબંધ છે, તો દારૂને પ્રોત્સાહન આપતા ગીતો પર કેમ નહિ?
Mar 1,2020, 12:20 PM IST
અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ પિંકાથોન, એક્ટર મિલીન્દ સોમાન રહ્યા હાજર
અમદાવાદમાં આજે પિંકાથોનનું આયોજન કરાયું હતું. રિવરફ્રન્ટ પર મહિલાઓના સ્વાસ્થ્યની જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં અમદાવાદની મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં છેલ્લા 4 વર્ષથી મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતિ અને તેમના વહેલા ઉપચારની જાગૃતિ માટે પિંકાથોનનું આયોજન કરાય છે. પિંકાથોનના આયોજનમાં બોલિવુડના પ્રખ્યાત અભિનેતા અને એથલિટ મિલિન્દ સોમણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પિંકાથોન બાદ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે વાળ દાન કરવા માટે મહિલાઓને મેસેજ આપ્યો હતો. એટલું જ નહિ, સ્ટેજ પર મહિલાઓને પોતાના વાળ કાપીને કેન્સરગ્રસ્ત મહિલાઓને દાન કરવા માટે પ્રેર્યા હતા. પિંકાથોનના આયોજનમાં અનેક મહિલાઓએ પોતાના વાળ કપાવીને કેન્સરગ્રસ્ત મહિલાઓને દાન કર્યા હતા. તો અભિનેતા મિલિન્દ સોમણે નિર્ભયાના દોષીઓને લઇને પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવું તે સમાજને શીખવવું પડશે....
Mar 1,2020, 12:00 PM IST
વાઘ હોવાના સમાચાર વહેતા થયા બાદ સ્થાનિક લોકોએ કહ્યું, ‘હા... રાત્રે અવાજ તો સંભળાય છે...’
મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં જ વન વિભાગની ટીમ જંગલોમાં પહોંચી છે. ઝી 24 કલાક મહીસાગરના કંતાર ગામ પહોંચી, જ્યાં ગામલોકો સાથે ખાસ વાત કરી. ગામલોકોએ જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે. જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. વારંવાર પશુઓનું મારણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો, એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ કંતારનાં જંગલોમાં વાઘ આવ્યો હોવાની વાતની તપાસ કરી રહ્યો છે અને સમગ્ર પંથકમાં ચોકસાઈ વધારી દીધી છે. શું ગુજરાતનાં જંગલોમાં વાઘ રહે છે? આ સવાલનો જવાબ જાણવા માટે આખું ગુજરાત ફરી એકવાર ઉત્સુક છે.
Mar 1,2020, 11:10 AM IST

Trending news