Sita Navami 2023: આ દિવસે ઉજવાશે સીતા નવમી, સુખી લગ્નજીવન માટે કરો આ સરળ ઉપાય

Sita Navami 2023: વૈશાખ મહિનાના શુક્લપક્ષની નવમીને સીતા માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સીતા નવમી 29 એપ્રિલના રોજ ઉજવાશે. આ દિવસે અખંડ સૌભાગ્ય માટે અને સુખી લગ્નજીવન માટે માતાસીતાની પૂજા કરવામાં આવે છે.

Sita Navami 2023: આ દિવસે ઉજવાશે સીતા નવમી, સુખી લગ્નજીવન માટે કરો આ સરળ ઉપાય

Sita Navami 2023: વૈશાખ મહિનાના શુક્લપક્ષની નવમીને સીતા માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સીતા નવમી 29 એપ્રિલના રોજ ઉજવાશે. આ દિવસે અખંડ સૌભાગ્ય માટે અને સુખી લગ્નજીવન માટે માતાસીતાની પૂજા કરવામાં આવે છે. સીતા નવમીના દિવસે શુભ મહુર્તમાં માતાસીતાને શૃંગારની સોળ સામગ્રી અર્પણ કરવી અને આ મંત્ર " શ્રી જાનકી રામાભ્યાં નમઃ"નો 108 વખત જાપ કરવો. માન્યતા છે કે આમ કરવાથી લગ્ન જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે.

આ પણ વાંચો:

- માતાસીતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ દિવસે માતાજીને ખીરનો ભોગ પણ ચડાવવો જોઈએ. ત્યાર પછી આ ખીર સાત કન્યાઓને પ્રસાદ તરીકે આપવી. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

- લગ્ન કરવામાં સમસ્યા આવતી હોય તો સીતા નવમીના દિવસે માતા સીતા અને શ્રીરામની ઉપાસના કરવી. આ સાથે જ સારા જીવનસાથીની કામના પૂરી કરવા માટે સીતા નવમીના દિવસે જાનકી સ્ત્રોતનો પાઠ કરવો. 

- જો લગ્ન નક્કી થવામાં સમસ્યા આવતી હોય તો સીતા નવમીના દિવસે હળદરની પાંચ ગાંઠ લેવી અને તેને પીળા કપડામાં બાંધીને યોગ્ય જીવનસાથીની કામના સાથે માતા સીતાના ચરણોમાં અર્પણ કરવી.

- જો વૈવાહિક જીવનમાં સમસ્યા આવતી હોય તો સીતા નવમીના દિવસે સીતા ચાલીસાનો પાઠ કરવો અને સુખી લગ્નજીવન માટે પ્રાર્થના કરવી.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news