J&K: પથ્થરમારો કરનાર માટે દરેક રસ્તો બંધ, ચાલુ થયું સુરક્ષાદળોની કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન દરમિયાન થનાર પથ્થરમારો સુરક્ષાદળો માટે મોટા પડકાર બની ચુક્યા છે. ગત્ત દિવસોમાં બેથી ત્રણ એવી ઘટનાઓ થયા છે, જેમાં પથ્થરમારાનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ઘટના સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ એકવાર ફરીથી પથ્થરમારો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. નિર્ણય હેઠળ, સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા વિરુદ્ધ ઝડપથી એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનને પ્રભાવી બનાવવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશ્યલ ઓપરેશન સ્કવોર્ડનાં કમાંન્ડોવાળી જોઇન્ટ ટીમની રચના કરી દેવાઇ છે. 
J&K: પથ્થરમારો કરનાર માટે દરેક રસ્તો બંધ, ચાલુ થયું સુરક્ષાદળોની કાર્યવાહી

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન દરમિયાન થનાર પથ્થરમારો સુરક્ષાદળો માટે મોટા પડકાર બની ચુક્યા છે. ગત્ત દિવસોમાં બેથી ત્રણ એવી ઘટનાઓ થયા છે, જેમાં પથ્થરમારાનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ઘટના સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ એકવાર ફરીથી પથ્થરમારો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. નિર્ણય હેઠળ, સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા વિરુદ્ધ ઝડપથી એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનને પ્રભાવી બનાવવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશ્યલ ઓપરેશન સ્કવોર્ડનાં કમાંન્ડોવાળી જોઇન્ટ ટીમની રચના કરી દેવાઇ છે. 

ઇફ્તાર દાવતમાં હાજરી મુદ્દે ગિરિરાજના કટાક્ષ અંગે નીતીશનો વળતો પ્રહાર
જમ્મુ અને કાશ્મીરની કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ અભિયાનને સફળ બનાવવા માટે સ્થાનીક પોલીસ, સીઆરપીએફ અને આર્મી ઇન્ટેલીજન્સની મદદ પણ લેવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે,  સુરક્ષાદળોની આ કાર્યવાહી, ગત્ત વર્ષોમાં થયેલી કાર્યવાહીથી બિલ્કુલ અલગ થશે. કાર્યવાહી સફળ બનાવવા માટે સુરક્ષાદળોની જોઇન્ટ ટીમે આવા અરાજક તત્વોની ઓળખ કરવા માટેની કવાયત ચાલુ કરી દીધી છે. જેઓ યુવાનોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેરે છે. આ અભિયાન હેઠળ અનેક લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જે પથ્થરમારો કરનારા નવયુવાનો સુધી આર્થિક મદદ પહોંચાડે છે. તેમણે જણાવ્યું કે, પથ્થરમારો કરનારી ગેંગના વડા પુરી થતા જ તેની વિરુદ્ધ કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે. 

સુરક્ષાદળોનાં હમદર્દો પર કાર્યવાહી ઝડપથી ચાલુ થશે
સુરક્ષાદળોનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વખતે અમે કોઇ પગલું ઝડપથી ઉઠાવવા નથી માંગતા. દરેક શંકાસ્પદ વ્યક્તિની વિરુદ્ધ પુરતા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે તેની ધરપકડ કરી શકાય ઉપરાંત તેમને યોગ્ય સજા પણ અપાવી શકાય. તેમણે જણાવ્યું કે, ખીણમાં અલગ-અલગ પથ્થરમારો કરનારાઓને પકડવાથી સારુ છે કે તે વ્યક્તિને જ પકડવામાં આવે જેના કારણે આ લોકોને ઓક્સિજન મળી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news