દેશભરમાં વાવાઝોડાથી 39 લોકોના મોત, PM મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટ ઉડ્યા

દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. મંગળવાર મોડી રાત્રે દેશના મોટાભાગના શહેરોમાં ભારે પવન અને વરસાદની સાથે કરા પડ્યા હતા. રાજસ્થાનમાં વાવાઝોડાના કારણે 9 લોકોના મોત થયા છે.

દેશભરમાં વાવાઝોડાથી 39 લોકોના મોત, PM મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટ ઉડ્યા

નવી દિલ્હી: દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. મંગળવાર મોડી રાત્રે દેશના મોટાભાગના શહેરોમાં ભારે પવન અને વરસાદની સાથે કરા પડ્યા હતા. રાજસ્થાનમાં વાવાઝોડાના કારણે 9 લોકોના મોત થયા છે. જ્યારે મધ્ય પ્રદેશમાં 13 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાં વાવાઝોડાથી 39 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવાર બાદ બુધવારે પણ મોસમ વિભાગને દેશના ઘણા ભાગમાં વાવાઝોડાને અલર્ટ જાહેર કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટ ઉડ્યા
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 17 એપ્રિલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટનો એક ભાગ વાવાઝોડાના કારણે તુટી ગયો હતો. સ્થાનીક ભાજપ નેતાઓએ જણાવ્યું કે, ટેન્ટનો થોડો ભાગ ઉડી ગયો કે ફાટી ગયો હતો. તેમણે કહ્યું કે લોકોને ગરમી ના લાગે અને સ્ટેજ પર નેતાઓને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઘટના સમયે ગુજરાતના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા તૈયારીઓનું નિરિક્ષણ કરી રહ્યાં હતા.

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વાવાઝોડામાં કેટલાકના મોત
વાવાઝોડુ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કેટલાક લોકોના મોતનું કારણ બન્યું છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં વીજળી પડવાથી એક પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતથી ઘાયલ થયો છે. ત્યારે રાજસ્થાનમાં વાવાઝોડાના કારણે 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news