Vande Bharat Train: વંદે ભારત ટ્રેનમાં આગ ફાટી નીકળી, તમામ મુસાફરો સુરક્ષિત

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન માટે રવાના થયેલી વંદે ભારત ટ્રેનની C14 બોગીમાં કુરવાઈ સ્ટેશન પાસે બેટરીથી આગ લાગી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. 

Vande Bharat Train: વંદે ભારત ટ્રેનમાં આગ ફાટી નીકળી, તમામ મુસાફરો સુરક્ષિત

ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી છે. મળતી માહિતી મુજબ આજે સવારે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન માટે રવાના થયેલી વંદે ભારત ટ્રેનની C14 બોગીમાં કુરવાઈ સ્ટેશન પાસે બેટરીથી આગ લાગી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. 

મળતી માહિતી મુજબ રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હજરત નિઝામુદ્દીન વંદે ભારત ટ્રેન સવારે 5.40 વાગે રવાના થઈ હતી. ઘટના બીના પહેલા ઘટી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યાં મુજબ આગ બેટરીથી લાગી. આગની સૂચના મળતા જ ટ્રેનને રોકીને તમામ મુસાફરોને સુરક્ષિત કાઢી લેવાયા છે. 

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023

ભારતીય રેલવેના જણાવ્યાં મુજબ વંદે ભારત એક્સપ્રેસના એક કોચના બેટરી બોક્સમાં આગ લાગવાની સૂચના મળી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ કાબૂમાં કરી લીધી. તમામ મુસાફરો સુરક્ષિત છે. કોઈના ઘાયલ થવાની સૂચના નથી. તપાસ બાદ ટ્રેન જલદી રવાના કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news