ખોરાક બનાવતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલ, નહીં તો તમારી હેલ્થને થશે મોટું નુકસાન

ખોરાક બનાવતી વખતે લોકો હંમેશા કેટલીક ભૂલ કરી દે છે જેના કારણે ખોરાકની ન્યૂટ્રીશન વેલ્યુ ઓછી થઈ જાય છે. આ ભૂલ કર્યા બાદ તમારા પૌષ્ટિક આહારની ન્યૂટ્રીશન વેલ્યુ એટલી નહીં રહે જેટલી તમે સમજો છો. આવો આજે તમને જણાવીએ કે જમવાનું બનાવતા સમયે તમારે કઈ ભૂલથી બચવું જોઈએ.

ખોરાક બનાવતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલ, નહીં તો તમારી હેલ્થને થશે મોટું નુકસાન

નવી દિલ્હીઃ ખોરાક બનાવતી વખતે લોકો હંમેશા કેટલીક ભૂલ કરી દે છે જેના કારણે ખોરાકની ન્યૂટ્રીશન વેલ્યુ ઓછી થઈ જાય છે. આ ભૂલ કર્યા બાદ તમારા પૌષ્ટિક આહારની ન્યૂટ્રીશન વેલ્યુ એટલી નહીં રહે જેટલી તમે સમજો છો. આવો આજે તમને જણાવીએ કે જમવાનું બનાવતા સમયે તમારે કઈ ભૂલથી બચવું જોઈએ.

શેકવું:
માંસમાં એડવાન્સ ગ્લાઈકેશન એન્ડ પ્રોડક્ટ નામના નેચરલ કમ્પાઉન્ડ હોય છે. માસને જ્યારે વધુ તાપમાન પર બનાવવામાં આવે તો તે કમ્પાઉન્ડ પણ પ્રોડ્યુસ કરે છે. બોડીમાં AGESનો લાર્જ અમાઉન્ટ ઈન્ફ્લેમેશન વધતા ઈંસુલિન પ્રતિરોધનું કારણ બની શકે છે. આ પ્રીડિયાબિટીઝ અને ટાઈપ-2 ડાયાબિટીઝની મુશ્કેલી પણ વધારી શકે છે. માંસમાં ખાટા રસ, સિરકા, ટામેટાનો રસ અને વાઈન જેવા એસિડ ભળવાના કારણે AGESને કંટ્રોલ કરવામાં આવી શકે છે.

નેચરલ ઓલિવ ઓયલ:
પ્રાકૃતિક ઓલિવ ઓઈલમાં હાજર ઓમેગા-3, ઓમેગા-6 જેવા હેલ્ધી ફેટ્સ આપણા માઈન્ડ હેલ્થને પ્રોમોટ કરે છે અને ફેટમાં ઘુલનશીલ વિટામીન-A, E, D અને K સુકાવવામાં મદદ કરે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દરેક તેનો ઉપયોગ કરે. પ્રસિદ્ધ ડાયાટિશિયન  કેલ્સી કોન્રો કહે છે કે નેચલ ઓલિવ ઓઈલના 320 ડિગ્રી ફેરનહાઈટ પર ઉપયોગથી બચવુ જોઈએ. આ તાપમાન પર બનવુ અને સ્મોક કરવુ શરૂ કરવું જોઈએ. તેનાથી શરીરને ફાયદા પહોંચાડનારા પોષક તત્વો મરી જાય છે અને નુકસાન પહોંચાડનારા ઈન્ફ્લેમેટરી ફઅરી રેડિકલ્સ વધી જાય છે.

માંસના બેક્ટેરિયા:
માંસને રૂમમાં ટેમ્પરેચરમાં ખૂલ્લુ રાખવાથી પ્રોટીનમાં બેક્ટેરિયા પેદા થાય છે. જો ખોરાકથી થનારી બીમારીઓનું જોખમ વધે છે. ન્યૂજર્સીની ફેમસ ડાયાટિશિયન મેન્ડી એનરાઈટ કહે છે. માંસને ફ્રીઝથી બહાર કાઢીને રાખવાની જગ્યાએ તેને ફ્રીઝમાં સુરક્ષિત રાખો. માંસને ફ્રીઝમાં અન્ય ખોરાક, ફળ અથવા શાકભાજીથી અલગ રાખો.

સ્ટોવની પાસે તેલ:
કિચમાં લોકો હંમેશા તેલ-મસાલાના ડબ્બાને સ્ટોવની પાસે રાખે છે. જેથી ખોરાક બનાવતા સમયે સરળતા રહે. પરંતુ શું તમે જાણો છે સ્ટોવથી નીકળનારી ગરમી તેલને ખરાબ કરી શકે છે અને આ જ તેજ ઈફ્લેમેશન અને ફ્રી રેડિકલ્સને પ્રમોટ કરે છે. જમવાનું બનાવવા માટે તેલને હંમેશા ઠંડી જગ્યા પર જ રાખવું જોઈએ.

ફળ અને શાકભાજીની છાલ:
અનેક લોકો ફળ શાકભાજીને ખાતા પહેલા તેની છાલ ઉતારી લે છે. કદાચ તમને જાણકારી નહીં હોય કે આવું કરવાથી ન્યૂટ્રીશન વેલ્યુ ઓછી થાય છે. ફિલાડેલ્ફિયાની એક ન્યૂટ્રીશનિસ્ટે જણાવ્યું છે કે આ છાલમાં  કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન જેવા અનેક ગુણકારી તત્વો હોઈ શકે છે. જેમાં ફાઈબર પણ હોઈ શકે છે. એટલે સંભવ છે કે કેટલાક ફળ અને શાકભાજીને વગર છાલ ઉતાર્યે ઉપયોગમાં લો.

ખાટા ફળોને કાપીને રાખવા:
લીંબુ અને સંતરા જેવા ફળોને લોકો હંમેશા પહેલા કાપીને રાખી લે છે. એવુ કરવાથી ખાટા ફળોની ન્યૂટ્રીશન વેલ્યુ ઓછી થઈ જાય છે. એક્સપર્ટ કહે છે કે વિટામીન-સી અત્યંત સંવેદનશીલ વિટામીન છે જેની ક્ષમતા પ્રકાશ અને હવામાં ઓછી થઈ શકે છે. જો તમે જમવાનું બનાવવા, જ્યૂસ બનાવવા અથવા સલાડમાં કાપેલા ફળોનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો તેને પહેલાથી કાપીને ના રાખો.

શાકભાજીને ઉકાળવી:
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે બ્રોકલી, લીલા વટાણા અથવા શતાવરી જેવી શાકભાજીને પાણીમાં ઉકાળવાથી પાણીનો રંગ લીલો થવા લાગે છે. શાકભાજીના લીલા રંગમાં એક ખાસ પ્રકારના ન્યૂટ્રીશન હોય છે. જે વધુ સમય સુધી બનાવવા અથવા ઉકાળવાથી નષ્ટ થઈ શકે છે.

કેલિફોર્નિયાની એક ડાયાડિશિયનનું કહેવુ છે કે શાકભાજી વધુ સમય સુધી ઉકાળવાથી તેમની ન્યૂટ્રીશન વેલ્યુ 40થી 50 ટકા સુધી ઓછી થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે આપણે શાકભાજીને બે મિનિટથી વધુ સમય સુધી ન ઉકાળવી જોઈએ. શાકભાજીને બાફતા પહેલાં તેને ઠંડા પાણીમાં રાખો. જેનાથી તેની ન્યૂટ્રીશન વેલ્યુ બચી જવાની સંભાવના વધી જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news